For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શાકમાર્કેટ વિસ્તારમાંથી શંકાસ્પદ હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવતા દોડધામ

11:59 AM Jun 25, 2024 IST | admin
શાકમાર્કેટ વિસ્તારમાંથી શંકાસ્પદ હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવતા દોડધામ

જામનગરમાં શાકમાર્કેટ નજીકના વિસ્તારમાંથી રવિવારે બપોરે એક યુવાનનો મૃતદેહ રહસ્યમય સંજોગોમાં મળી આવતા ભારે દોડધામ થઈ છે. પોલીસ દ્વારા તબીબો ની પેનલ મારફતે પોસ્ટ મોર્ટમ કરાવાયું છે. જયારે પડી જવાના કારણે મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ નીકળ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સુમરા ચાલી વિસ્તારમાં ઊનની કંદોરી પાસે રહેતો અને ભંગારની ફેરી કરતો મહેશભાઈ રાજુભાઈ છૂવાર નામનો 38 વર્ષનો યુવાન રવિવારે બપોરે શાક માર્કેટ નજીકના વિસ્તારમાંથી બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. સૌપ્રથમ 108 ની ટીમને ઘટના સ્થળે બોલાવતાં તેણે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. જેથી પોલીસ દ્વારા મૃતદેહને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો, અને ત્યાં તબીબોની પેનલ મારફતે તેનું પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે.
પોલીસ દ્વારા પ્રાથમિક દ્રષ્ટિએ ઠેંસ વાગવાથી પડી જવાના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું અનુમાન લગાવ્યું છે. જોકે સમગ્ર બનાવ મામલે ઊંડાણપૂર્વકની તપાસ ચલાવાઈ રહી છે, અને તેનું ક્યાં સંજોગોમાં મૃત્યુ નીપજયું છે, તે અંગે પોસ્ટમોટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement