રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

તારક મહેતાના ટપુ-બબીતાની સગાઈની વાત માત્ર હંબગ

01:20 PM Mar 14, 2024 IST | Bhumika
Advertisement

ટીવી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતાજી એટલે કે એક્ટ્રેસ મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ભારે એક્ટવિ રહે છે. છેલ્લાં ઘણાં સમયથી મુનમુન દત્તા પોતાની પર્સનલ લાઈફને લઈને ભારે ચર્ચા છે. સીરિયલમાં જેઠાલાલના પુત્ર ટપ્પૂની ભૂમિક ભજવી ચુકેલા એક્ટર રાજ અનડકટ સાથેના રિલેશનશિપના સમાચાર બાદ હવે તેની સગાઈના સમાચાર લોકોને આશ્ચર્યમાં મૂકી રહ્યાં છે. પરંતુ હવે એક્ટ્રેસે પોતે જ આ સમાચારનું ખંડન કર્યું છે અને ભારે નારાજગી વ્યક્ત કરી છે.એક્ટ્રેસે જણાવ્યું કે આ પ્રકારના સમાચાર માત્ર બકવાસ છે. એક્ટ્રેસે કહ્યું કે- તે આ પ્રકારની વાહિયાત વાતો પર પોતાની એનર્જી વેસ્ટ નથી કરવા માગતી. સગાઈના સમાચાર પર જવાબ આપતા મુનમુન દત્તાએ કહ્યું- આ બધું જ માત્ર બકવાસ છે. આ વાતમાં એક ટકા પણ સચ્ચાઈ નથી. હું આ પ્રકારના ફેક ન્યૂઝને લઈને મારી એનર્જી અને એટેન્શન વેસ્ટ નથી કરવા માગતી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા સમાચારમાં એમ પણ કહેવાયું કે સગાઈમાં મુનમુન અને રાજના માતા-પિતા ઉપરાંત તેમના નજીકના મિત્રો હાજર રહ્યાં હતા. રાજ અને મુનમુનની ડેટિંગના સમાચાર સૌથી પહેલા 2021માં ઉડ્યા હતા અને ત્યારથી લઈને આજ દિવસ સુધી એક્ટ્રેસ અને રાજના નામને અનેક વખત જોડવામાં આવ્યું. જો કે હવે એક્ટ્રેસે સ્પષ્ટ કરી દીધું છે કે તેની અને રાજ વચ્ચે એવું કંઈજ નથી અને હવે આવા સમાચાર પર રિએક્ટ કરીને પોતાનો ટાઈમ વેસ્ટ કરવા નથી માગતી.

Advertisement

Tags :
EntertainmentEntertainment newsindiaindia news
Advertisement
Next Article
Advertisement