તબ્બૂની સુપરહિટ ફિલ્મ ચાંદની બારની સિક્વલ બનશે
- પ્રથમ ભાગને નેશનલ એવોર્ડ મળ્યો હતો
તબ્બૂની સુપરહિટ ફિલ્મ ચાંદની બારની સીકલ બનવા જઈ રહી છે. તેના પહેલા ભાગને નેશનલ એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મની કાસ્ટિંગ અને પ્રી-પ્રોડક્શન પ્રક્રિયા શરૂૂ થઈ ગઈ છે. આને ફાઇનલ કર્યા બાદ આ ફિલ્મનું નિર્માણ આ વર્ષના મધ્ય સુધીમાં શરૂૂ થશે. મોહન આઝાદે મૂળ 2001ની ફિલ્મની પટકથા અને સંવાદો લખ્યા હતા. તે હવે સિક્વલ પર કામ કરી રહ્યો છે, એટલે કે બીજા ભાગમાં પણ આ જ પ્રકારનો રોમાંચ અને વાસ્તવિકતા જોવા મળશે.ફિલ્મની રિલીઝ ડિસેમ્બર 2025માં થવાની છે. જો કે હજુ સુધી કોઈ કલાકારોનો સત્તાવાર રીતે સંપર્ક કરવામાં આવ્યો નથી, પરંતુ પ્રથમ ફિલ્મના કેટલાક કલાકારોને આગામી ફિલ્મમાં ભૂમિકાઓ માટે ધ્યાનમાં લેવામાં આવી શકે છે. સિક્વલ વિશે વાત કરતાં મોહન આઝાદે કહ્યું કે આ ફિલ્મના નિર્માતા આર. મોહને લાંબા સમયથી ચાંદની બારની સિક્વલ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, અમે સ્ક્રિપ્ટને લઈને ખૂબ મૂંઝવણમાં હતા, પરંતુ મને ખુશી છે કે અમે તેને લખી છે. આ સિક્વલની વાર્તા જબરદસ્ત છે અને મને ખાતરી છે કે આવનારા વર્ષમાં આપણે ચાંદની બારની એ જ સફળતાને ફરી એકવાર રિપીટ કરી શકીશું. વર્ષ 2001માં રિલીઝ થયેલી પચાંદની બારથનું નિર્દેશન મધુર ભંડારકર દ્વારા કરવામાં આવ્યું હતું, જે પેજ 3 અને ફેશન માટે પણ જાણીતા છે. આ ફિલ્મમાં તબ્બુ લીડ રોલમાં હતી. અભિનય અને લેખન બાદ મોહન આઝાદ ચાંદની બારથી દિગ્દર્શન ક્ષેત્રે પગ મૂકે છે.