રામકૃષ્ણ મિશનના પ્રમુખ સ્વામી સ્મરણાનંદ મહારાજનું નિધન
11:35 AM Mar 27, 2024 IST
|
Bhumika
Advertisement
- PM મોદી, મમતા બેનરજી સહિતનાઓની શ્રધ્ધાંજલિ
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન, બેલુર મઠના પ્રમુખ સ્વામી સ્મરણાનંદજી મહારાજનું લાંબી માંદગી બાદ મંગળવારે રામકૃષ્ણ મિશન સેવા પ્રતિષ્ઠાન ખાતે નિધન થયું છે. 95 વર્ષીય સાધુ 1 માર્ચ, 2024 થી વય સંબંધિત બીમારીની સારવાર હેઠળ હતા.
Advertisement
રામકૃષ્ણ મઠ અને મિશનના ભૂતપૂર્વ પ્રમુખ સ્વામી આત્મસ્થાનંદ મહારાજના નિધન પછી સ્વામી સમરનાનંદ મહારાજે રામકૃષ્ણ મઠ અને મિશનના 16મા પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો. તેમણે 17 જુલાઈ, 2017ના રોજ રામકૃષ્ણ મઠના પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ આ મહિનાની શરૂઆતમાં બીમાર મહારાજને મળ્યા હતા. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સ્વામી સ્મરણાનંદ મહારાજના નિધન પર ઊંડા અને હૃદયપૂર્વક શોક વ્યક્ત કર્યો છે.
Next Article
Advertisement