For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધો.12ના વિદ્યાર્થીઓને શુક્રવારે મળશે માર્કશીટ

04:23 PM May 15, 2024 IST | Bhumika
ધો 12ના વિદ્યાર્થીઓને શુક્રવારે મળશે માર્કશીટ
Advertisement

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ઉપયોગી સમાચાર સામે આવ્યા છે. તારીખ 17મી મેએ માર્કશીટ આપવામાં આવશે. માધ્યમિક શિક્ષક બોર્ડે તમામ DEOને જાણ કરી છે. 15 મેએ શાળામાં માર્કશીટ પહોંચાડવાનો આદેશ કરાયો છે તેમજ 17 મેના રોજ બોર્ડની પરીક્ષાની માર્કશીટ વિદ્યાર્થીઓને અપાશે
12 વિજ્ઞાન પ્રવાહનાં ઉમેદવારો માટે બેસ્ટ ઓફ ટુનો વિકલ્પ અપાયો છે.

Advertisement

જેમાં જે વિદ્યાર્થી ઉર્તીર્ણ થયેલા છે એ વિદ્યાર્થી પણ તેમની થીયરીનાં વિષયોમાં સુધારો કરવા માંગતા હોય તો તે પૂરક પરીક્ષામાં આપી શકશે અને માર્ચની તેમજ પૂરક પરીક્ષા બંનેમાંથી જે સારા ગુણ હશે. તે ગણતરીમાં લેવામાં આવશે. એજ પ્રમાણે કોઈ પરીક્ષાર્થી નાપાસ થયેલ છે તો નાપાસ થયેલા વિષયની પૂરક પરીક્ષા પણ આપી શકે અને તે ઈચ્છે તો જે માર્ચમાં એપિયર થયેલ છે. તે વિષયની પણ પરીક્ષા આપી શકે છે. એક અથવા એકથી વધારે વિષયોમાં તેનું પરિણામ સુધારવા માટે એ પૂરક પરીક્ષા આપી શકશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement