For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

200 રૂપિયાના ટોકન માટે ST ડ્રાઈવરે મુસાફરોના જીવ જોખમમાં મુક્યા…15KM સુધી રોંગ સાઈડમાં બસ દોડાવી, પેસેન્જરોના જીવ અધ્ધર, જુઓ વિડીયો

06:54 PM May 21, 2024 IST | Bhumika
200 રૂપિયાના ટોકન માટે st ડ્રાઈવરે મુસાફરોના જીવ જોખમમાં મુક્યા…15km સુધી રોંગ સાઈડમાં બસ દોડાવી  પેસેન્જરોના જીવ અધ્ધર  જુઓ વિડીયો
Advertisement

એસ.ટી વિભાગની બસમાં દરરોજના હજારો મુસાફરો મુસાફરી કરતા હોય છે. એસ.ટી વિભાગના 'સલામત સવારી, એસ.ટી અમારી' સૂત્ર વચ્ચે બસ ડ્રાઈવરે માત્ર રૂ.200ના ટોકન માટે મુસાફરોના જીવ જોખમમાં મુક્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો ખુદ મુસાફરે જ ટ્વીટર પર પોસ્ટ કર્યો છે.

હકીકતમાં પ્રણવ શાહ નામના એક મુસાફરે X પર પોસ્ટ કરીને લખ્યું છે કે, શું સામાન્યજનનાં જીવની કિંમત માત્ર Rs.200 છે. તેમણે સલામત સવારી એસ.ટી અમારીનું સ્લોગન બદલી નાખો. તારીખ ૧૬-૦૫-૨૦૨૪, બસ નંબર GJ 18ZT 0013 અંબાજીથી ખંભાત. ડ્રાઈવર અને કન્ડક્ટરની બેકારજી અને લાપરવાહી નાં કારણે લગભગ 50 મુસાફરો ના જીવ જોખમમાં મુકાયા.

Advertisement

પ્રણવ શાહના ટ્વીટ અનુસાર, હિંમતનગરથી નીકળ્યા પછી બસ પ્રાંતિજ પહોંચી ત્યારે અચાનક ડ્રાઈવરને યાદ આવ્યું કે 15 km પેહલા સલાલ પાસે આગમન હોટેલ ઉપર બસ ઉભી રાખવાની ભૂલી ગયો છે. એવામાં લોકોના જીનની ચિંતા કર્યા વિના ડ્રાઈવર અને કન્ડક્ટરે લગભગ 15-20 km રોંગ સાઈડમાં બસ ચલાવી હતી. મુસાફરોએ આ વાતનો વિરોધ કર્યો પણ ડ્રાઈવર કે કન્ડક્ટર કોઈએ પણ તેમની વિનંતી ધ્યાનમાંના લીધી અને બધાના જીવ પડીકે બંધાઈ ગયેલા હતા. મુસાફરોએ આ બાબતે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તે હોટેલ ઉપર બસ ઉભી રાખવી ફરજીયાત છે . કારણ કે ત્યાં બસ ઉભી રાખવાથી 200નું ટોકન મળે છે.આ બાદ મુસાફરોએ ફરિયાદ પોથી માંગી ત્યારે ડ્રાઈવર અને કંડક્ટરે બંને એકબીજાના ખો આપતા રહ્યા. જોકે ખાસી રકઝકના અંતે ફરિયાદ પોથી મળતા તેમાં ફરિયાદ લખીને પોતાની વ્યથા રજૂ કરી હતી. આ અંગે ખંભાત ડેપો મેનેજરને પણ કરાઈ છે, પરંતુ તેઓ પણ 2 દિવસથી ફોન ન ઉપાડતા હોવાનો આરોપ મુસાફર કરી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement