ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં હવે નહીં યોજાય વર્લ્ડ કપની મેચો

10:48 AM Aug 13, 2025 IST | Bhumika
Advertisement

IPL 2025ના ચેમ્પિયન બન્યા પછી, RCBની જીતની ઉજવણી દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી જેમાં 11 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ અકસ્માતની આડઅસર બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમને ભોગવવી પડી છે કારણ કે હવે આ વર્ષે મહિલા વર્લ્ડ કપની મેચો અહીં યોજાશે નહીં. ચિન્નાસ્વામીની જગ્યાએ હવે એક નવું સ્થળ શોધવામાં આવી રહ્યું છે અને એવા અહેવાલો છે કે આ મેચો તિરુવનંતપુરમમાં ખસેડી શકાય છે.
30 સપ્ટેમ્બરથી શરૂૂ થનારા વર્લ્ડ કપનું આયોજન ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે કરી રહ્યા છે. ગુવાહાટી, વિશાખાપટ્ટનમ, ઈન્દોર અને કોલંબો ઉપરાંત, આ વર્લ્ડ કપની મેચો હવે તિરુવનંતપુરમમાં યોજાશે. જોકે, આ શહેરનું નામ 24 થી 48 કલાકમાં જાહેર થઈ શકે છે.

Advertisement

BCCIએ કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશનને ચિન્નાસ્વામીમાં મેચ યોજવા દેવા માટે સરકારને મનાવવા માટે બે દિવસનો સમય આપ્યો હતો પરંતુ તે બન્યું નહીં. શરૂૂઆતમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ પાંચ મેચ માટે પસંદ કરવામાં આવ્યું હતું, જેમાં 30 સપ્ટેમ્બરે ભારતની શરૂૂઆતની મેચનો પણ સમાવેશ થાય છે. જોકે, 4 જૂનની ભયાનક ઘટનાઓ પછી બધું બદલાઈ ગયું. કર્ણાટક સરકારે શહેરમાં ક્રિકેટ મેચો પર કડક વલણ અપનાવ્યું અને હવે બેંગલુરુ પાસેથી યજમાનીના અધિકારો છીનવી લેવામાં આવ્યા છે.

Tags :
BengaluruBengaluru newsChinnaswamy Stadiumindiaindia news
Advertisement
Next Article
Advertisement