ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરશે: માઇકલ કલાર્ક

10:37 AM Jun 07, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ગયા મહિને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તે ભારતના આગામી ઇંગ્લેન્ડ પ્રવાસમાં ટીમ સાથે રહેશે નહીં. જોકે, ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન માઇકલ ક્લાર્કે કહ્યું છે કે જો જરૂૂર પડે અને ચાહકો અને ટીમ મેનેજમેન્ટની અપીલ હોય, તો કોહલી ટેસ્ટ નિવૃત્તિમાંથી વાપસી કરી શકે છે.

Advertisement

ભારતીય ટીમ ઇંગ્લેન્ડ પહોંચી ગઈ છે જ્યાં તે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમશે. આ પ્રવાસમાં ટીમને બહુ અનુભવ નથી. ટીમ પાસે ન તો વિરાટ કોહલી છે કે ન તો રોહિત શર્મા. બંનેએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. આવી સ્થિતિમાં, ધૂમલે કહ્યું છે કે જો ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ પ્રવાસમાં ખરાબ રીતે હારનો સામનો કરે છે, તો કોહલી નિવૃત્તિમાંથી વાપસી કરી શકે છે. બિયોન્ડ 23 પોડકાસ્ટ પર બોલતા, ક્લાર્કે કહ્યું, આ મારો અભિપ્રાય છે. જો ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ જાય છે અને 5-0થી હારી જાય છે, તો મને લાગે છે કે ચાહકો ઈચ્છશે કે વિરાટ કોહલી નિવૃત્તિમાંથી બહાર આવે અને ફરીથી ટેસ્ટ ક્રિકેટ રમે. મને પ્રામાણિકપણે લાગે છે કે જો કેપ્ટન, પસંદગીકારો તેને કહે અને તેને ચાહકોનો ટેકો મળે તો મને લાગે છે કે તે પાછો આવશે. તેને હજુ પણ ટેસ્ટ ક્રિકેટ ગમે છે. મને લાગે છે કે તમે તેના શબ્દો, તેનો જુસ્સો સાંભળી શકો છો.

Tags :
indiaindia newsMichael ClarkeSportssports newsTest cricketVirat Kohli
Advertisement
Advertisement