For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિરાટ કોહલી-રોહિત શર્મા સહિતના દિગ્ગજ ક્રિકેટરો રમશે દિલીપ ટ્રોફી

12:14 PM Aug 13, 2024 IST | admin
વિરાટ કોહલી રોહિત શર્મા સહિતના દિગ્ગજ ક્રિકેટરો રમશે દિલીપ ટ્રોફી

બાંગ્લાદેશ સામેની ટેસ્ટ અને ટી-20 સિરિઝ પહેલાંની તૈયારી

Advertisement

દીલીપ ટ્રોફી 5 સપ્ટેમ્બરથી શરૂૂ થઈ રહી છે. તે જ સમયે, આ ટૂર્નામેન્ટ 22 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. જો કે ભારતીય ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. વાસ્તવમાં માત્ર રોહિત શર્મા અને વિરાટ કોહલી જ નહીં પરંતુ અન્ય ઘણા મોટા નામ પણ દીલીપ ટ્રોફીમાં રમતા જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રોહિત શર્મા અને વિરાટ કોહલી સિવાય ઋષભ પંત, કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, રજત પાટીદાર અને સરફરાઝ ખાન જેવા મોટા નામો દીલીપ ટ્રોફીમાં રમતા જોવા મળશે.

જો કે, તે રોહિત શર્મા અને વિરાટ પર છોડી દેવામાં આવે છે કે તેઓ દીલીપ ટ્રોફીમાં ભાગ લેવા માંગે છે કે નહીં… પરંતુ આ સિવાય ભારતીય ટીમના લગભગ તમામ મોટા ખેલાડીઓ રમતા જોવા મળશે. જો કે ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. સાથે જ ઝડપી બોલર મોહમ્મદ શમીના રમવા પર પણ સસ્પેન્સ છે. મોહમ્મદ શમી વનડે વર્લ્ડ કપ બાદથી મેદાન પર જોવા મળ્યો નથી. એવું માનવામાં આવે છે કે જો મોહમ્મદ શમી ફિટ થઈ જશે તો તે દીલીપ ટ્રોફીમાં રમી શકે છે.

Advertisement

વાસ્તવમાં ભારતીય ટીમને બાંગ્લાદેશ સામે ટેસ્ટ શ્રેણી રમવાની છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ અને ઇઈઈઈં ઈચ્છે છે કે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને બાંગ્લાદેશ ટેસ્ટ શ્રેણી પહેલા સારી પ્રેક્ટિસ કરવી જોઈએ. આ કારણે રોહિત શર્મા, વિરાટ કોહલી અને રિષભ પંત સહિત ઘણા નામ દીલીપ ટ્રોફીમાં રમતા જોવા મળશે. તાજેતરમાં, રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમને શ્રીલંકા સામેની 3 મેચની વનડે શ્રેણીમાં 2-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે ભારતીય ટીમે યજમાન શ્રીલંકાને 3 ટી-20 મેચની શ્રેણીમાં વ્હાઇટવોશ કર્યો હતો. હવે ટીમ ઈન્ડિયાનું આગામી કાર્ય બાંગ્લાદેશ સામે ટેસ્ટ અને ટી-20 સીરીઝ રમવાનું છે. જો કે શ્રીલંકા સીરીઝ બાદ બાંગ્લાદેશ સીરીઝમાં લગભગ 40 દિવસનો ગેપ છે. હવે આ ગેપમાં, રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત ઘણા ભારતીય સ્ટાર્સ ડોમેસ્ટિક ટુર્નામેન્ટ દીલીપ ટ્રોફી 2024 રમતા જોવા મળી શકે છે. અહેવાલો અનુસાર, દીલીપ ટ્રોફીની મેચો બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement