હાર્દિક જે રીતે મુંબઇ ઇન્ડિયન્સમાં ગયો તે યોગ્ય નથી: અરવિંદર સિંહ
હાર્દિક પંડ્યા હવે આઈપીએલ 2024 માટે મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો છે. પરંતુ મુંબઈમાં જોડાયા પછી, તે અને ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સ બંનેને નિયમનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવે છે. આ સંદર્ભમાં 2010ની ઘટના પણ ટાંકવામાં આવી રહી છે જેમાં રવિન્દ્ર જાડેજા પર આઈપીએલ2010માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ સંદર્ભમાં હવે ગુજરાત ટાઇટન્સના સીઇઓ અરવિંદર સિંહે સ્પષ્ટ કહ્યું છે કે હાર્દિક જે રીતે મુંબઇ ઇન્ડિયન્સમાં ગયો તે યોગ્ય ન હતો. તેણે કહ્યું, આઈપીએલ ટ્રેડ માટે ખેલાડીઓનો સીધો સંપર્ક કરવો ખોટું છે. ટીમોએ આ માટે બીસીસીઆઇ ની પ્રક્રિયાને અનુસરવી જોઈએ. પરંતુ આ પદ્ધતિ (હાર્દિકનો વેપાર) યોગ્ય નહોતો અને ટીમ મેનેજમેન્ટ તેનાથી નારાજ છે. આઇપીએલ ટ્રેડિંગને લઈને બીસીસીઆઇના નિયમો સ્પષ્ટ છે. આઈપીએલની તત્કાલીન મેનેજમેન્ટ કમિટીએ જાડેજા વિરુદ્ધ કાર્યવાહી કરી અને તેના પર એક વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો. કેકેઆરના ભૂતપૂર્વ ડિરેક્ટર જોય ભટ્ટાચાર્યએ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. હાલમાં આ અંગે બીસીસીઆઈ, આઈપીએલ કે કોઈ ઓથોરિટી તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. હવે જોવાનું એ રહે છે કે આગામી આઇપીએલમાં હાર્દિકનું ભવિષ્ય શું હશે.