For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

IPL-2025માં રોહિત શર્મા MIમાં નહીં રમે

01:09 PM Sep 12, 2024 IST | admin
ipl 2025માં રોહિત શર્મા miમાં નહીં રમે

કોમેન્ટેટર આકાશ ચોપરાનો દાવો

Advertisement


આઈપીએલ 2025 રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સમાં રહેશે કે નહીં તે મોટો પ્રશ્ન છે. આ મુદ્દે પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ મોટી વાત કહી છે. તેને લાગે છે કે રોહિત શર્મા આગામી આઈપીએલ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે નહીં રમે અને તેણે આ માટે એક આશ્ચર્યજનક કારણ આપ્યું છે.

પૂર્વ ક્રિકેટર અને પ્રખ્યાત કોમેન્ટેટર આકાશ ચોપરાએ રોહિતને લઈને નવો દાવો કર્યો છે. રોહિત શર્મા આઈપીએલની આગામી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી નહીં રમે. આકાશ ચોપરાએ તેની યુટ્યુબ ચેનલ પર લાઈવ દરમિયાન કહ્યું કે તેને લાગે છે કે રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સમાં નહીં રહે. આકાશ ચોપરાએ યુટ્યુબ ચેનલ પર કહ્યું, વ્યક્તિગત રીતે મને લાગે છે કે રોહિત શર્મા મુંબઈમાં નહીં રહે. જ્યારે ટીમ ખેલાડીઓને જાળવી રાખે છે, ત્યારે તેમની વ્યૂહરચના એ છે કે આ ખેલાડી ત્રણ વર્ષ સુધી તેમના માટે રમશે. ચેન્નાઈમાં ધોનીની સ્થિતિ અલગ છે. પરંતુ રોહિત અંગે મને લાગે છે કે કાં તો રોહિત મુંબઈથી અલગ થઈ જશે અથવા મુંબઈ ઈન્ડિયન્સ તેને છોડી દેશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement