For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રોહિત શર્મા પાકિસ્તાન નહીં જાય, PCBએ કેન્સલ કરી ચેમ્પિયન્સ ટ્રોફીની સેરેમની

10:59 AM Jan 31, 2025 IST | Bhumika
રોહિત શર્મા પાકિસ્તાન નહીં જાય   pcbએ કેન્સલ કરી ચેમ્પિયન્સ ટ્રોફીની સેરેમની

ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડની ટીમ સમયસર પહોંચી શકે તેમ ન હોવાનું કારણ

Advertisement

અહેવાલો અનુસાર, PCBએ આ વર્ષની ચેમ્પિયન્સ ટ્રોફીના ઉદ્ઘાટન સમારોહને રદ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે ટુર્નામેન્ટ પહેલા કેપ્ટનોની પ્રેસ કોન્ફરન્સ અને સત્તાવાર ફોટોશૂટ પણ થશે નહીં. આનો અર્થ એ થયો કે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના પાકિસ્તાન પ્રવાસ અંગેની અટકળોનો હવે અંત આવ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ફક્ત 3 અઠવાડિયા બાકી છે અને આ સમયે તમામ ધ્યાન એ વાત પર છે કે શું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ લાહોર અને કરાચીના સ્ટેડિયમ સમયસર તૈયાર કરી શકશે કે નહીં.

પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાની બોર્ડે ચેમ્પિયન્સ ટ્રોફીના ઉદ્ઘાટન સમારોહ સહિત તમામ ઇવેન્ટ્સ રદ કરવાનો નિર્ણય લીધો છે. આ પાછળનું કારણ બે ટીમો સમયસર પાકિસ્તાન પહોંચી શકશે નહીં તે હોવાનું કહેવાય છે. આ બે ટીમો ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ છે, જે હાલમાં શ્રીલંકા અને ભારતમાં અલગ અલગ સિરીઝમાં વ્યસ્ત છે. ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે એક ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે, જેમાં ચેમ્પિયન્સ ટ્રોફી ટીમના કેટલાક ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે, જ્યારે ઈંગ્લેન્ડની ટીમ હાલમાં ભારતમાં ટી20 શ્રેણી રમી રહી છે, ત્યારબાદ તેODI શ્રેણી પણ રમશે.

Advertisement

ફક્ત ઉદ્ઘાટન સમારોહ જ નહીં, પરંતુ દરેક ICC ઇવેન્ટ પહેલાં બધી ટીમોના કેપ્ટનોની પ્રેસ કોન્ફરન્સ હોય છે, ત્યારબાદ ટુર્નામેન્ટની ટ્રોફી સાથે કેપ્ટનોનો ફોટોશૂટ હોય છે. પરંતુ હવે આ બંને ઘટનાઓ બનશે નહીં. આનાથી ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના પાકિસ્તાન પ્રવાસ અંગેની અટકળોનો અંત આવી ગયો છે. થોડા સમય પહેલા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતીય કેપ્ટન પ્રેસ કોન્ફરન્સ માટે પાકિસ્તાન જઈ શકે છે પરંતુ તેની પુષ્ટિ થઈ ન હતી. પરંતુ હવે આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે, જેના કારણે આ શક્યતા પણ સમાપ્ત થઈ ગઈ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement