For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પૂજારા બાદ નિવૃત્તિની લાઈનમાં રહાણે, અમિત મિશ્રા અને કરૂણ નાયરની ચર્ચા

10:58 AM Aug 25, 2025 IST | Bhumika
પૂજારા બાદ નિવૃત્તિની લાઈનમાં રહાણે  અમિત મિશ્રા અને કરૂણ નાયરની ચર્ચા

ભારતીય ક્રિકેટમાં નિવૃત્તિનો દોર યથાવત છે. ચેતેશ્વર પૂજારા 2025 માં નિવૃત્તિ લેનાર પાંચમા ભારતીય ક્રિકેટર બન્યા છે. તેમની પહેલા વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, જ્યારે વરુણ એરોન અને રિદ્ધિમાન સાહાએ તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. પૂજારા બાદ, અન્ય ત્રણ ભારતીય ક્રિકેટરો - અજિંક્ય રહાણે, અમિત મિશ્રા અને કરુણ નાયર પણ ટૂંક સમયમાં નિવૃત્તિની જાહેરાત કરી શકે તેવી શક્યતા છે, કારણ કે તેઓ લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે અને યુવા ખેલાડીઓ તેમને બદલી રહ્યા છે.અજિંક્ય રહાણે ભારતીય ટીમ માટે કુલ 195 આંતરરાષ્ટ્રીય મેચો રમ્યા છે અને તેમના નામે 8414 રન છે. જોકે, તેમણે 2018 પછી કોઈ પણ સફેદ બોલની મેચ રમી નથી. ટેસ્ટ ક્રિકેટમાં પણ યુવા ખેલાડીઓ સતત સારો દેખાવ કરી રહ્યા હોવાથી, તેમની વાપસીની શક્યતાઓ ખૂબ જ ઓછી છે. આ સંજોગોમાં, રહાણે ટૂંક સમયમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી શકે તેવી સંભાવના છે.

Advertisement

લેગ સ્પિનર અમિત મિશ્રાએ IPLમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત હજી બાકી છે. તેમણે પોતાની કારકિર્દીમાં કુલ 156 વિકેટ લીધી છે, પરંતુ 2017 પછી તેઓ ભારતીય ટીમમાં ક્યારેય પાછા ફર્યા નથી. 42 વર્ષની ઉંમર અને યુવા સ્પિનરોની વધતી સ્પર્ધાને કારણે, તેમની નિવૃત્તિ હવે દૂર નથી. એક સમયે ટ્રિપલ સદી ફટકારીને ચર્ચામાં આવેલા કરુણ નાયર માટે 8 વર્ષ પછી ભારતીય ટીમમાં વાપસીની તક મળી હતી, પરંતુ તેઓ ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન 8 ઇનિંગ્સમાં માત્ર 205 રન જ બનાવી શક્યા હતા. 2017 પછી 2025 માં તેમને ટીમમાં ફરી સ્થાન મળ્યું, પરંતુ તેમનું બેટ શાંત રહ્યું. હવે તેમને ફરી પ્લેઇંગ ઇલેવનમાં તક મળવાની શક્યતાઓ ખૂબ જ ઓછી છે, જેના કારણે તે પણ નિવૃત્તિનો નિર્ણય લઈ શકે છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement