ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

દેશ માટે રમવું એ સૌથી ખાસ લાગણી, સૂર્યકુમાર યાદવનો ભાવુક મેસેજ

12:42 PM Jul 20, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

વર્લ્ડ કપ-2026 સુધી યાદવ કેપ્ટન રહી શકે

Advertisement

સૂર્યકુમાર યાદવે તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા એક ભાવનાત્મક સંદેશ પોસ્ટ કર્યો જેમાં તેણે તેના પ્રત્યે દર્શાવવામાં આવેલા પ્રેમ અને સમર્થન માટે ચાહકોનો આભાર માન્યો છે. રોહિત શર્માના સ્થાને સૂર્યકુમારે ભારતના ઝ20 કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળી છે. એવું માનવામાં આવે છે કે તે આગામી શ્રીલંકા પ્રવાસથી લઈને ઝ20 વર્લ્ડ કપ 2026 સુધી ભારતીય ઝ20 ટીમનો કેપ્ટન રહેશે.

સૂર્યકુમારે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, તમારા તરફથી મળેલા પ્રેમ, સમર્થન અને શુભકામનાઓ માટે ખૂબ ખૂબ આભાર. છેલ્લાં કેટલાંક અઠવાડિયાં સપનાથી ઓછાં નથી રહ્યા અને હું ખરેખર આભારી છું. દેશ માટે રમવું એ સૌથી ખાસ લાગણી છે જે હું શબ્દોમાં સમજાવી શકીશ નહીં. આ નવી ભૂમિકા તેની સાથે ઘણી જવાબદારી, ઉત્સાહ અને જોશ લઇ આવી છે. હું આશા રાખું છું કે મને તમારો સાથ અને આશીર્વાદ મળતો રહેશે. બધી પ્રસિદ્ધિ ભગવાન સુધી પહોંચે છે, ભગવાન મહાન છે. તમને જણાવી દઈએ કે સૂર્યકુમારની કપ્તાનીમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની ઝ20 શ્રેણી 4-1થી જીતી હતી. તેની કપ્તાનીમાં ભારતે ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી પણ 1-1થી બરાબર કરી હતી. પસંદગીકારો અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરે સૂર્યકુમાર યાદવને નવી જવાબદારી સોંપી છે.

Tags :
indiaindia newsSportsNEWSsuryakumaryadav
Advertisement
Advertisement