રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કેપ્ટન તરીકે પંતને સૌથી વધુ અને રહાણેને સૌથી ઓછો મળશે પગાર

10:46 AM Mar 20, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

 

IPL-2025માં 27 કરોડથી 1.5 કરોડ સુધી કેપ્ટનના પગાર, શનિવારથી રમતના મહાઉત્સવનો પ્રારંભ

 

IPL 2025 શરૂૂ થવામાં હવે ખૂબ જ ઓછો સમય બાકી છે અને તે પહેલા કેપ્ટનોનો પગાર ચાહકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. લીગની 18મી સીઝન 22 માર્ચથી ઇડન ગાર્ડન્સ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચેની મેચથી શરૂૂ થશે. IPL 2025 માટે ખેલાડીઓની હરાજી પછી, પંજાબ, કોલકાતા, લખનૌ અને દિલ્હીનો કેપ્ટન કોણ બનશે તે અંગે ચર્ચા થઈ હતી.

કોલકાતાએ રહાણેને ટીમની કમાન સોંપી છે, લખનૌએ ઋષભ પંતને, દિલ્હીએ અક્ષર પટેલને અને પંજાબે શ્રેયસ ઐયરને ટીમની કમાન સોંપી છે. જ્યારે બેંગલુરુએ રજત પાટીદારને કેપ્ટન બનાવીને બધાને આશ્ચર્યચકિત કર્યા.
IPL 2025માં સૌથી વધુ કમાણી કરનાર કેપ્ટન ઋષભ પંત છે, જેને ખેલાડીઓની હરાજીમાં લખનૌ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂૂપિયાની જંગી રકમમાં ખરીદ્યો હતો. ઋષભ આઈપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન અજિંક્ય રહાણે, જેને ફ્રેન્ચાઈઝીએ હરાજીમાં 1.5 કરોડ રૂૂપિયામાં ખરીદ્યો હતો, તે બધા કેપ્ટનોમાં સૌથી ઓછો પગાર મેળવનાર ખેલાડી છે.

ઋષભ પંત પછી, IPL ઇતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી શ્રેયસ ઐયર, જેને પંજાબે હરાજીમાં 26.75 કરોડ રૂૂપિયામાં ખરીદ્યો હતો, તે સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓની યાદીમાં બીજા સ્થાને છે. આ પછી સનરાઇઝર્સ હૈદરાબાદના પેટ કમિન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સના રૂૂતુરાજ ગાયકવાડ અને રાજસ્થાન રોયલ્સના સંજુ સેમસનનો ક્રમ આવે છે. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલ અને ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ આ યાદીમાં બીજા ક્રમે છે. મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા બીજા ક્રમે છે. તેના પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો રજત પાટીદાર અને યાદીમાં સૌથી છેલ્લે રહાણે છે.

ચોથા નંબર પર બેટિંગ કરીને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવનાર શ્રેયસ ઐય્યર ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની આ સીઝનમાં ત્રીજા નંબર પર બેટિંગ કરીને પોતાની અનોખી છાપ છોડવા માંગે છે. શ્રેયસ હાલમાં ભારતની T20 ટીમનો ભાગ નથી પરંતુ તે IPL માં પંજાબ કિંગ્સ તરફથી રમતી વખતે સારું પ્રદર્શન કરીને રાષ્ટ્રીય ટીમમાં વાપસીનો માર્ગ મોકળો કરવા માંગે છે. કોલકાતા નાઈટ રાઈડર્સે ગયા સિઝનમાં ઐયરની કેપ્ટનશીપ હેઠળ ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ ઐયરે મધ્યમ ક્રમમાં બેટિંગ કરી.

ઐયરે કહ્યું, આપણે બધા જાણીએ છીએ કે IPL ભારતીય ક્રિકેટનો અભિન્ન ભાગ છે અને જો હું ઝ20માં એક સ્થાન પર પોતાને સ્થાપિત કરવા માંગુ છું, તો તે ત્રીજા ક્રમે રહેશે. મારું ધ્યાન આ પર છે. હું એમ નહીં કહું કે અમે કયા નંબર પર બેટિંગ કરવી તે અંગે કોઈ યોજના બનાવી રહ્યા છીએ. તેમણે કહ્યું, આ વખતે હું બેટિંગ ક્રમમાં મારા નંબર વિશે સ્પષ્ટ છું અને જ્યાં સુધી મને કોચનો ટેકો મળતો રહેશે, ત્યાં સુધી હું તે નંબર પર ધ્યાન કેન્દ્રિત કરીશ.

Tags :
indiaindia newsIPLIPL 2025Sportssports news
Advertisement
Advertisement