For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એશિયા કપ જીતેલી ટીમના માત્ર ચાર ખેલાડીઓ વેસ્ટ ઇન્ડિઝ શ્રેણીમાં રમશે

11:03 AM Sep 30, 2025 IST | Bhumika
એશિયા કપ જીતેલી ટીમના માત્ર ચાર ખેલાડીઓ વેસ્ટ ઇન્ડિઝ શ્રેણીમાં રમશે

2 ઓક્ટોબરથી શરૂ થશે શ્રેણી, પ્રથમ મેચ અમદાવાદ મોદી સ્ટેડિયમમાં

Advertisement

એશિયા કપ 2025માં જીત મેળવ્યા બાદ, ટીમ ઈન્ડિયા હવે વેસ્ટ ઈન્ડીઝ સામે બે ટેસ્ટ મેચની શ્રેણી પર નજર રાખી રહી છે, જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે.
શુભમન ગિલના નેતૃત્વમાં, યુવા અને અનુભવી ખેલાડીઓની ટીમ 2 ઓક્ટોબરથી મેદાનમાં ઉતરશે. આ શ્રેણી ભારતમાં યોજાશે, જ્યાં ફક્ત કેપ્ટનશીપ જ નહીં પરંતુ ખેલાડીઓને પણ અપડેટ કરવામાં આવશે.

હકીકતમાં, એશિયા કપ વિજેતા ભારતીય ટીમના ફક્ત ચાર ખેલાડીઓ આ શ્રેણીમાં રમતા જોવા મળશે. બાકીના 11 ખેલાડીઓ ભારતીય ટેસ્ટ ટીમનો ભાગ નથી. આ ચાર ખેલાડીઓ શુભમન ગિલ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવ છે.
આ ઉપરાંત, સૂર્યકુમાર યાદવ, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, સંજુ સેમસન, હર્ષિત રાણા, રિંકુ સિંહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી અને જીતેશ શર્માનો પણ ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.

Advertisement

આ શ્રેણીની પહેલી મેચ 2 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બીજી મેચ 10 ઓક્ટોબરે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં શરૂૂ થશે. આ શ્રેણી ટીમ ઈન્ડિયા માટે મહત્વપૂર્ણ રહેશે.

ટીમ ઈન્ડિયા
શુભમન ગિલ (કેપ્ટન)
યશસ્વી જયસ્વાલ
કેએલ રાહુલ
સાઈ સુદર્શન
દેવદત્ત પડિકલ
ધ્રુવ જુરેલ (વિકેટકીપર)
રવીન્દ્ર જાડેજા (વાઈસ-કેપ્ટન)
વોશિંગ્ટન સુંદર
જસપ્રિત બુમરાહ
અક્ષર પટેલ
નીતિશ કુમાર રેડ્ડી
એન જગદીસન (વિકેટકીપર)
મોહમ્મદ સિરાજ
પ્રસિદ્ધ કૃષ્ણા
કુલદીપ યાદવ

Advertisement
Tags :
Advertisement
Advertisement