For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નકવીની નફ્ફટાઇ, સમારોહ યોજાય તો ભારતને ટ્રોફી આપવા શરત મૂકી

11:22 AM Sep 30, 2025 IST | Bhumika
નકવીની નફ્ફટાઇ  સમારોહ યોજાય તો ભારતને ટ્રોફી આપવા શરત મૂકી

BCCI-ACCની બેઠકમાં પણ આ મુદ્દો ઉઠાવશે

Advertisement

ટીમ ઈન્ડિયાએ એશિયા કપ 2025માં પાકિસ્તાન સામે 5 વિકેટથી ઐતિહાસિક વિજય મેળવ્યો. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન પાકિસ્તાનનું અપમાન થયું હતું અને હાર બાદ, એશિયા કપ ફાઇનલમાં ફરીથી અપમાનિત થવાની તૈયારીમાં છે.

પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીને ટ્રોફી ચોર કહેવું ખોટું નહીં હોય. ભારતીય ટીમે વિજય પછી નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આ પછી, નકવીએ હવે એક નવો નાટક રચ્યું છે. તેમણે ભારતને જ ટ્રોફી આપવાનો આગ્રહ રાખ્યો હતો અને હવે એક એવી માંગણી વ્યક્ત કરી છે જે એક નવો વિવાદ સર્જે તેવી શક્યતા છે.

Advertisement

એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના વડા મોહસીન નકવીએ એશિયા કપ વિજેતા ટીમના મેડલ ભારતીય ટીમને સોંપવાની ઇચ્છા વ્યક્ત કરી હોવાનું કહેવાય છે. જોકે, તેમણે એક શરત મૂકી છે, તેઓ ઔપચારિક સમારોહ યોજાયા પછી જ ટ્રોફી ભારતને સોંપવા માંગે છે. ક્રિકબઝના અહેવાલ મુજબ, નકવીએ એશિયા કપ આયોજકોને પોતાની શરત જણાવી છે.

જોકે, આવા સમારોહ થવાની શક્યતા ખૂબ જ ઓછી માનવામાં આવે છે.ભારતના એવોર્ડ સમારોહ પછી મોહસીન નકવી સ્ટેડિયમ છોડીને ચાલ્યા ગયા. જોકે, આ વિવાદ અટકશે નહીં; BCCI એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની બેઠકમાં આ મુદ્દો ઉઠાવવાનું વચન આપ્યું છે. અહેવાલો અનુસાર, BCCI 30 સપ્ટેમ્બર, મંગળવારના રોજ દુબઈમાં ACC ની બેઠકમાં પણ આ મુદ્દો ઉઠાવશે, જે IST બપોરે લગભગ 3:30 વાગ્યે શરૂૂ થશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement