For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટીમ ઇન્ડિયાને ઝટકો, સૂર્યકુમાર અફઘાનિસ્તાન T-20માંથી બહાર

12:25 PM Dec 23, 2023 IST | Sejal barot
ટીમ ઇન્ડિયાને ઝટકો  સૂર્યકુમાર અફઘાનિસ્તાન t 20માંથી બહાર

સૂર્યકુમાર યાદવની પગના ઘૂંટીની ઇજા ગંભીર હોવાની વાત સામે આવી છે. સૂર્ય કુમારે તાજેતરમાં ટીમ ઇન્ડિયાને તેની કપ્તાની હેઠળ બેક ટુ બેક T20 શ્રેણીમાં જીત અપાવી હતી. આવી સ્થિતિમાં તે ફેબ્રુઆરી સુધી ક્રિકેટના મેદાનમાં પરત ફરી શકશે નહીં. એક રિપોર્ટમાં આ જાણકારી સામે આવી છે. ગયા અઠવાડિયે જ્યારે સૂર્યકુમાર યાદવ દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યો ત્યારે તેમના પગની ઘૂંટી સ્કેન કરવામાં આવી હતી. તેમાં ગ્રેડ-2 લેવલનું ટીયર (તિરાડ) મળી આવ્યું હતું. આવી સ્થિતિમાં ઈજાની ગંભીરતાને જોતા તે હવે જાન્યુઆરીમાં અફઘાનિસ્તાન સામે થનારી ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં ભાગ લઈ શકશે નહીં. ટી20 વર્લ્ડ કપ પહેલા અફઘાનિસ્તાન સીરીઝ ટીમ ઈન્ડિયાની છેલ્લી ટી20 સીરીઝ છે. ટી20 વર્લ્ડ કપની તૈયારીઓ માટે યોગ્ય સંયોજન શોધવા માટે ટીમ ઈન્ડિયા માટે આ એકમાત્ર શ્રેણી બાકી છે. આવી સ્થિતિમાં, આ શ્રેણીમાં સૂર્યાની ગેરહાજરીને કારણે, ભારતીય ટીમની T20 વર્લ્ડ કપની તૈયારીઓને ચોક્કસ અંશે નુકસાન થશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement