IPL-2025, પ્લેઓફમાં સ્થાન મેળવવા 8 ટીમો વચ્ચે કાંટે કી ટક્કર
ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025માં 54 મેચ રમાઈ છે. હવે દરેક મેચ પ્લેઓફ માટે મહત્વપૂર્ણ છે. રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયા છે જ્યારે 8 ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. પ્લેઓફમાં પહોંચવા માટે બધી ટીમોના સમીકરણ જાણો. રવિવારે ડબલ હેડર મેચો પછી પ્લેઓફ માટેની લડાઈ વધુ રોમાંચક બની ગઈ છે.
રજત પાટીદારના કેપ્ટનશીપ હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ હાલમાં પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે, તેણે 11 માંથી 8 મેચ જીતી છે અને 16 પોઈન્ટ ધરાવે છે. પરંતુ ટીમ હજુ સુધી પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ નથી તેને વધુ એક મેચ જીતવી પડશે. પંજાબ કિંગ્સે 11 માંથી 7 મેચ જીતી છે અને 1 મેચ રદ કરવામાં આવી હતી, ટીમના 15 પોઈન્ટ છે અને તે બીજા સ્થાને છે. વધુ એક મેચ જીતીને તેઓ 17 પોઈન્ટ પર પહોંચી જશે પછી તેમના માટે પ્લેઓફમાં પહોંચવું સરળ બનશે પરંતુ હાલમાં 5 ટીમો એવી છે જે 18 પોઈન્ટ સુધી પહોંચી શકે છે, આવી સ્થિતિમાં તેમને 3 માંથી 2 મેચ જીતવાની જરૂૂર છે.
મુંબઈ ઇન્ડિયન્સે 11 માંથી 7 મેચ જીતી છે અને તેનો નેટ રન રેટ શ્રેષ્ઠ (1.274) છે. ટીમ 14 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળની મુંબઈ ટીમને 3 માંથી ઓછામાં ઓછી 2 મેચ જીતવાની જરૂૂર છે, જો તેનો નેટ રન રેટ સારો રહેશે તો તે 18 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પહોંચશે તે નિશ્ચિત છે. ગુજરાત ટાઇટન્સની હજુ 4 મેચ બાકી છે, જેમાંથી તેમને 3 મેચ જીતવાની છે. બે જીત સાથે તે 18 પોઈન્ટ
પૂર્ણ કરશે, પરંતુ હાલમાં ટીમો 18 પોઈન્ટ સાથે ક્વોલિફાય થઈ શકતી નથી.
દિલ્હી કેપિટલ્સ વિશે વાત કરીએ તો સતત બે મેચ હાર્યા બાદ ટીમ પર દબાણ છે. તેણે 10 માંથી 6 મેચ જીતી છે અને 12 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે. હાલમાં તેમને ચારેય મેચ જીતવી પડશે પરંતુ ત્રણ મેચ જીતીને પણ તેમની પાસે પ્લેઓફમાં પહોંચવાની તક રહેશે.
રાજસ્થાનને હરાવીને કોલકાતાએ પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી હતી. 11 મેચ બાદ તેના 11 પોઈન્ટ છે, તેની 3 મેચ બાકી છે અને તે બધી મેચ જીતીને 17 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં, તેમને બધી મેચ જીતવી પડશે, જ્યારે લખનઉ સુપર જાયન્ટ્સ હવે કોલકત્તાથી પણ પાછળ રહી ગયું છે. હારની હેટ્રિક બાદ ટીમ પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને આવી ગઈ છે, તેના 10 પોઈન્ટ છે અને હજુ 3 મેચ બાકી છે. લખનઉએ ત્રણેય મેચ જીતવી પડશે, તેમ છતાં તેનું પ્લેઓફમાં પહોંચવું નિશ્ચિત નથી પરંતુ અન્ય ટીમોના પરિણામો સમીકરણ બદલી શકે છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ 10 માંથી માત્ર 3 મેચ જીતી શક્યું છે, તેની 4 મેચ બાકી છે અને બધી જીત્યા પછી પણ તે ફક્ત 14 પોઇન્ટ સુધી પહોંચી શકે છે. જો દિલ્હી કેપિટલ્સ હરાવે તો તેઓ સત્તાવાર રીતે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે. બધી મેચ જીત્યા પછી પણ તેને અન્ય ટીમોના પરિણામો પર આધાર રાખવો પડશે.
ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ આઇપીએલ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયા છે. રાજસ્થાન 12માંથી 9 મેચ હારી ગયું છે જ્યારે ચેન્નઇ 11 માંથી 9 મેચ હારી ગયું છે.