For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે કાલે ઈડન ગાર્ડનમાં પ્રથમ ટેસ્ટ મુકાબલો

10:56 AM Nov 13, 2025 IST | admin
ભારત સાઉથ આફ્રિકા વચ્ચે કાલે ઈડન ગાર્ડનમાં પ્રથમ ટેસ્ટ મુકાબલો

ઘર આંગણે ગિલ પ્રથમ વખત ટેસ્ટમાં સુકાનીપદ નિભાવશે, વિકેટ ટેસ્ટને અનુકુળ પણ ત્રીજા દિવસથી સ્પીનરોને મદદ

Advertisement

છ વર્ષના પછી કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ટેસ્ટ ક્રિકેટ પરત ફરી રહ્યું છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ શ્રેણી કાલે શુક્રવાર, આ ઐતિહાસિક મેદાન પર શરૂૂ થશે. છેલ્લે 2019માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પિંક બોલથી ટેસ્ટ મેચ રમાઈ હતી. ભારત અને દક્ષિણ આફ્રિકા 15 વર્ષ પછી ઈડન ગાર્ડન્સ ખાતે ટકરાશે. ટીમ ઈન્ડિયાએ તે ટેસ્ટ મેચ સરળતાથી જીતી લીધી હતી, પરંતુ આ વખતે તે એટલું સરળ નહીં હોય, દક્ષિણ આફ્રિકાના ટ્રિપલ થ્રેટને કારણે.

ઈડન ગાર્ડન્સ ખાતેની આ મેચ એવી પિચ પર રમાશે જે બેટ્સમેન અને બોલરો બંને માટે સમાન રીતે અનુકૂળ છે. વધુમાં પિચ ક્યુરેટર સુજન મુખર્જીએ જણાવ્યું હતું કે પિચ મેચ દરમિયાન સારો ઉછાળો આપશે અને ત્રીજા દિવસથી ટર્ન આપશે. આનો અર્થ એ છે કે બેટ્સમેનોને પહેલા બે દિવસ રાહત રહેશે બાદમાં હંમેશની જેમ આ પિચ સ્પિનરોને અનુકૂળ રહેશે, જેમ કે અહીં અને ભારતમાં મોટાભાગના સ્ટેડિયમમાં થાય છે.

Advertisement

આ જ પિચ પેટર્ન દક્ષિણ આફ્રિકાને પણ મદદ કરી શકે છે, કારણ કે તેમને ફક્ત બેટથી થોડી તાકાત બતાવવાની જરૂૂર છે. જો તેઓ આમ કરવામાં સફળ થાય છે, તો દક્ષિણ આફ્રિકાની સ્પિન ત્રિપુટી ટીમ ઈન્ડિયા માટે પડકાર ઉભો કરી શકે છે, એક ટ્રિપલ થ્રેટ જેની સામે ભારતે સાવચેત રહેવું પડશે. આ ત્રિપુટીનું નેતૃત્વ અનુભવી સ્પિનર કેશવ મહારાજ કરી રહ્યો છે. મહારાજ ઘણા વર્ષોથી દક્ષિણ આફ્રિકાની ટીમનો ભાગ છે, પરંતુ છેલ્લા બે વર્ષમાં તેનું ટેસ્ટ ફોર્મ જોરદાર રહ્યું છે, જેનું સૌથી લેટેસ્ટ ઉદાહરણ પાકિસ્તાન પ્રવાસની બીજી ટેસ્ટમાં જોવા મળ્યું.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી 14 નવેમ્બરથી કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે શરૂૂ થઈ રહી છે. શ્રેણીની પહેલી મેચ કોલકાતામાં અને બીજી ગુવાહાટીમાં રમાશે. ગુવાહાટીમાં આ પહેલી ટેસ્ટ ક્રિકેટ મેચ હશે. ઈતિહાસ પર નજર કરીએ તો પણ, આપણે આગાહી કરી શકતા નથી કે પિચ કેવી રીતે વર્તે છે. જોકે, સ્પિનરો હંમેશા કોલકાતામાં ચમક્યા છે, અને આ વખતે પણ સ્પિનરોનો દરમિયાન, કોલકાતા નાઈટ રાઈડર્સના કોચ ગૌતમ ગંભીર સાથેની બોલાચાલીના કારણે ઈંઙક દરમિયાન ચર્ચામાં આવેલા ઈડન ગાર્ડન્સના ક્યુરેટર સુજાન મુખર્જી સ્ટેડિયમના 22-યાર્ડ સ્ટ્રીપથી સંતુષ્ટ છે. તેમણે એમ પણ કહ્યું કે પિચ એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે મેચ પૂરા પાંચ દિવસ સુધી ચાલશે. મુખર્જીએ એવી આશા પણ વ્યક્ત કરી કે ત્રીજા દિવસથી પિચ પર બોલ વધુ સ્વિંગ થઈ શકે છે. આનો અર્થ એ છે કે પ્રથમ બે દિવસ બેટિંગ માટે સારા રહેશે.

આ નિવેદનો સૂચવે છે કે ટીમ ઈન્ડિયાએ પોતાનો પાઠ શીખી લીધો છે. હકીકતમાં, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય બેટ્સમેનોએ ઘરઆંગણે વિદેશી સ્પિનરો સામે સંઘર્ષ કર્યો છે. ગયા વર્ષે ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી તેનું એક ઉત્તમ ઉદાહરણ છે. પ્રથમ ટેસ્ટ હાર્યા પછી, ભારતીય ટીમે ઈન્દોરમાં ટર્નિંગ પિચ તૈયાર કરી અને કારમી હારનો સામનો કરવો પડ્યો. મિશેલ સેન્ટનર અને ગ્લેન ફિલિપ્સે ભારતીય બેટિંગ લાઈનઅપને ધ્વસ્ત કરી દીધું હતું, જેના પરિણામે ઘરઆંગણે પહેલીવાર ભારતનો 3-0 થી ક્લીન સ્વીપ થયો.

ઓલ રાઉન્ડર નીતિશકુમાર રેડ્ડીને રાજકોટ મોકલી દેવાયો
ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડી પગની અને ગરદનની ઈજામાંથી મુક્ત થયો એટલે તેનો સમાવેશ સાઉથ આફ્રિકા સામેની આગામી ટેસ્ટ સિરીઝ માટેની ટીમમાં કરવામાં આવ્યો હતો, પરંતુ વધારાના બેટ્સમેન તરીકે ધ્રુવ જુરેલને બુધવારે આ ટીમમાં સમાવવામાં આવતાં નીતીશને ઇન્ડિયા-એ ટીમ વતી રમવા માટે કોલકાતાથી રાજકોટ મોકલી દેવામાં આવ્યો છે. તેનો સુકાની હવે બદલાઈ ગયો છે. નીતીશે મૂળ તો શુભમન ગિલના સુકાનમાં ટેસ્ટ મેચમાં રમવાનું હતું, પરંતુ ધ્રુવ જુરેલને તાજેતરની સાઉથ આફ્રિકા-એ સામેની બિનસત્તાવાર ટેસ્ટની બે અણનમ સેન્ચુરીને લીધે ટેસ્ટ ટીમમાં સ્થાન અપાયું એટલે નીતીશનો કેપ્ટન હવે બદલાઈ ગયો છે. તે રાજકોટમાં તિલક વર્માના સુકાનમાં ઇન્ડિયા-એ વતી રમશે. ટીમ ઇન્ડિયાનું મેનેજમેન્ટ ઇચ્છે છે કે નીતીશ ઈજામુક્ત બાદ રમતો જ રહે એટલે તેને ઇન્ડિયા-એની ટીમમાં સમાવવામાં આવ્યો છે.

ધ્રુવ જુરેલ કોલકાતા ટેસ્ટમાં રમશે, રિષભ પંતની વાપસી
ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે ટીમ ઈન્ડિયાના બીજા પ્રેક્ટિસ સેશન પહેલા એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આસિસ્ટન્ટ કોચ ટેન્ડેશકેટે પ્લેઈંગ ઈલેવન અંગે આ ખુલાસો કર્યો હતો. ધ્રુવ જુરેલને રમવા અંગે પૂછવામાં આવતા આસિસ્ટન્ટ કોચે કહ્યું, મને લાગે છે કે અમને કોમ્બિનેશન (પ્લેઈંગ ઈલેવન) વિશે સારો ખ્યાલ છે. ધ્રુવ જુરેલ છેલ્લા છ મહિનામાં જે રીતે રમ્યો છે અને ગયા અઠવાડિયે બેંગલુરુમાં તેણે જે બે સદી ફટકારી છે, તે જોતાં તે આ અઠવાડિયે રમશે તે ચોક્કસ છે. જોકે, જુરેલ વિકેટકીપર તરીકે રમશે નહીં કારણ કે ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર રિષભ પંત આ શ્રેણીમાં વાપસી કરી રહ્યા છે. પંત વિકેટકીપરની જવાબદારી સંભાળશે, અને જુરેલ માટે બીજા ખેલાડીએ રસ્તો છોડવો પડશે. કોચ ટેન્ડેશકેટે આ વાતનો ખુલાસો પણ કર્યો અને ઉમેર્યું કે યુવા ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીને બહાર બેસવું પડી શકે છે. નીતિશ અગાઉ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીનો ભાગ હતો, પરંતુ તેને ત્યાં ખૂબ ઓછી તક મળી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement