શુક્રવારથી ભારત-ઇંગ્લેન્ડ ટેેસ્ટ શ્રેણી, 4 ખેલાડીઓ કરશે ડેબ્યૂ
ભારતીય ક્રિકેટ ટીમ 20 જૂન, 2025 થી ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી શરૂૂ કરવા જઈ રહી છે. શુભમન ગિલના નેતૃત્વ હેઠળ આ પ્રથમ ટેસ્ટ શ્રેણી છે. પ્રથમ ટેસ્ટ લીડ્સના હેડિંગ્લી ગ્રાઉન્ડ પર રમાશે, અને ચાહકોની નજર ભારતના પ્લેઈંગ 11 પર છે. મજબૂત ટીમ પસંદ કરવા માટે ઘણા આશ્ચર્યજનક નિર્ણયો લઈ શકાય છે.
યશસ્વી જયસ્વાલે તાજેતરના વર્ષોમાં, તેણે ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, તેથી તેને પ્લેઈંગ 11 માં તક મળશે તે નિશ્ચિત છે. કેએલ રાહુલ અનુભવી ઓપનર તરીકે જયસ્વાલ સાથે ઈનિંગની શરૂૂઆત કરી શકે છે.
કેપ્ટન શુભમન ગિલ ત્રીજા નંબર પર બેટિંગ કરી શકે છે. તે છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટમાં આ નંબર પર રમી રહ્યો છે. આ વખતે બધાની નજર તેની બેટિંગ તેમજ તેની કેપ્ટનશીપ પર રહેશે. કરુણ નાયરને નંબર 4 પર બેટિંગની તક મળી શકે છે. ઉપ-કપ્તાન રિષભ પંત મધ્યમ ક્રમનો મુખ્ય આધાર રહેશે. ઈંગ્લેન્ડની પડકારજનક પરિસ્થિતિઓમાં તેની આક્રમક બેટિંગ અને વિકેટકીપિંગ મહત્વપૂર્ણ રહેશે. તે નંબર 5 પર રમશે. નીતિશ કુમાર રેડ્ડીને બેટિંગ ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સામેલ કરી શકાય છે. તે બેટિંગની સાથે બોલિંગ પણ કરી શકે છે.
સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા બેટ અને બોલ બંનેથી યોગદાન આપશે. તેની સ્પિન બોલિંગ અને નીચલા ક્રમની બેટિંગ ભારત માટે મહત્વપૂર્ણ રહેશે. શાર્દુલ ઠાકુર તેની સીમ બોલિંગ અને ઉપયોગી બેટિંગ માટે જાણીતો છે. તે નીચલા ક્રમમાં રન ઉમેરી શકે છે અને વિકેટ પણ લઈ શકે છે.
ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ રમશે તેવો વિશ્વાસ છે. તે ફાસ્ટ બોલિંગનું નેતૃત્વ કરશે. મોહમ્મદ સિરાજ બુમરાહને ટેકો આપશે. યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. તેની સ્વિંગ બોલિંગ અને કાઉન્ટી ક્રિકેટનો અનુભવ તેને આ શ્રેણી માટે મજબૂત દાવેદાર બનાવે છે.
જો આ મેચમાં અર્શદીપ સિંહ સિવાય યશસ્વી જયસ્વાલ, નીતિશ કુમાર રેડ્ડી અને કરુણ નાયરની પસંદગી કરવામાં આવે છે, તો આ મેચ આ ચાર ખેલાડીઓ માટે ખાસ ડેબ્યૂ હશે. વાસ્તવમાં, આ ખેલાડીઓ પહેલીવાર ઈંગ્લેન્ડમાં ટેસ્ટ મેચ રમતા જોવા મળશે.