For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારત-ઇંગ્લેન્ડ શ્રેણી હવે તેંડુલકર- એન્ડરસન ટ્રોફી તરીકે ઓળખાશે

10:57 AM Jun 06, 2025 IST | Bhumika
ભારત ઇંગ્લેન્ડ શ્રેણી હવે તેંડુલકર  એન્ડરસન ટ્રોફી તરીકે ઓળખાશે

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 20 જૂનથી શરૂૂ થવાની છે. પટૌડી ટ્રોફીનું નામ બદલી નાખવામાં આવ્યું હોવાના સમાચાર હોવાથી આ શ્રેણી નવા નામથી રમી શકાય છે. હવે પટૌડી ટ્રોફીને તેંડુલકર-એન્ડરસન ટ્રોફી તરીકે ઓળખવામાં આવશે. સચિન તેંડુલકર અને જેમ્સ એન્ડરસન પોતપોતાના દેશોના મહાન ક્રિકેટરોમાંના એક છે.

Advertisement

પટૌડી ટ્રોફી 2007 માં પ્રથમ ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટની 75મી વર્ષગાંઠ નિમિત્તે શરૂૂ કરવામાં આવી હતી. ત્યારથી, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સમયાંતરે દ્વિપક્ષીય ટેસ્ટ શ્રેણીને પટૌડી ટ્રોફી તરીકે ઓળખવામાં આવે છે. આ શ્રેણીનું નામ પટૌડી પરિવારના નામ પરથી રાખવામાં આવ્યું હતું, જેણે ભારતને મન્સૂર અલી ખાન પટૌડી અને ઇફ્તિખાર અલી ખાન પટૌડીના રૂૂપમાં ભારતીય ટીમને 2 કેપ્ટન આપ્યા હતા.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણી 20 જૂનથી શરૂૂ થશે. આ શ્રેણી તેંડુલકર એન્ડરસન તરીકે જાણીતી હશે. સચિન તેંડુલકરે પોતાના ઐતિહાસિક ટેસ્ટ કારકિર્દીમાં 15,921 રન બનાવ્યા હતા. તે જ સમયે, જેમ્સ એન્ડરસન ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતા. તેમણે ઇંગ્લેન્ડ માટે રમતી વખતે 704 વિકેટ લીધી છે.

Advertisement

ગયા વર્ષે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી, જેમ્સ એન્ડરસન ઇંગ્લેન્ડની ટીમ સાથે બોલિંગ સલાહકાર તરીકે સંકળાયેલા છે. આ સાથે, તેઓ લેન્કેશાયર માટે કાઉન્ટી ક્રિકેટ પણ રમતો જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે સચિન તેંડુલકર અને જેમ્સ એન્ડરસન 14 ટેસ્ટ મેચમાં એકબીજા સામે સામસામે આવ્યા હતા. સચિનને એન્ડરસન દ્વારા કુલ 9 વખત આઉટ કરવામાં આવ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement