For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુડ ન્યૂઝ, ઇજાગ્રસ્ત પંત બેટિંગ માટે તૈયાર

01:37 PM Oct 19, 2024 IST | admin
ગુડ ન્યૂઝ  ઇજાગ્રસ્ત પંત બેટિંગ માટે તૈયાર

ઋષૂભ પંતને ઘૂંટણમાં ઇજા થઇ હતી

Advertisement

ક્રિકેટર ઋષભ પંત ટીમ ઇન્ડિયા માટે બેટિંગ કરવા માટે તૈયાર છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ બેંગ્લોરમાં રમાઈ રહી છે. ઋષભ પંત આ મેચના બીજા દિવસે ઈજાના કારણે મેદાનની બહાર ગયો હતો. ઋષભ પંતને ઘૂંટણમાં ઈજા થઈ હતી. આ ઈજા એ જ ઘૂંટણમાં થઈ છે જેની સર્જરી થઈ હતી. જો કે હવે તે મેચના ચોથા દિવસે શનિવારે બેટિંગ માટે મેદાનમાં ઉતરી શકે છે.

ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચના ત્રીજા દિવસના અંતે ભારતે 3 વિકેટ ગુમાવીને 231 રન બનાવ્યા હતા. આ દરમિયાન વિરાટ કોહલી ત્રીજા નંબરે અને સરફરાઝ ખાન ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. ઋષભ પંત પાંચમા નંબરે બેટિંગ કરવા જઈ રહ્યો હતો. પરંતુ કોહલીના આઉટ થયા બાદ સ્ટમ્પ જાહેર કરવામાં આવ્યા હતા. આથી ઋષભ પંત બેટિંગ માટે મેદાન પર આવી શક્યો ન હતો. પરંતુ તે ચોથા દિવસે બેટિંગ કરવા આવશે. તેણે બ્રેક દરમિયાન પ્રેક્ટિસ પણ કરી હતી. ઋષભ પંતને બેટિંગમાં કોઈ સમસ્યા નથી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement