રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શ્રીલંકા સામેની શ્રેણીમાં રોહિત-વિરાટને સામેલ કરવાનો ગંભીરનો નિર્ણય અયોગ્ય

01:23 PM Aug 06, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ભૂતપૂર્વ ફાસ્ટ બોલર આશિષ નેહરાએ ગંભીરની ઝાટકણી કાઢી

ભારતીય ટીમ શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં 0-1થી પાછળ છે અને હવે ભારતે શ્રેણીની હારથી બચવા માટે છેલ્લી મેચ જીતવી પડશે, બીજી વનડેમાં કેટલાક નિર્ણયોને કારણે ગૌતમ ગંભીર ટીકાના નિશાન પર છે. તે જ સમયે, હવે ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર આશિષ નેહરાએ પણ ગંભીરને આડે હાથ લેતા તેની ટીકા કરી છે. નેહરાએ શ્રીલંકા સામેની ODI ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને સામેલ કરવા બદલ મુખ્ય કોચ ગૌતમ ગંભીરની ટીકા કરી છે.

નેહરાનું માનવું છે કે શ્રીલંકા સામેની આ શ્રેણી ભારતની નવી પ્રતિભાને ચકાસવાની સારી તક હતી. અગાઉ એવા અહેવાલ હતા કે રોહિત અને કોહલી બંને આ ઓડીઆઈ શ્રેણીમાં નહીં રમે, પરંતુ ગંભીરે તેમને ત્રણ મેચની શ્રેણીમાં રમવા માટે વિનંતી કરી કારણ કે તે તેમની સાથે સમય પસાર કરવા માંગતો હતો. ભારતના મુખ્ય કોચ તરીકે આ શ્રેણી ગંભીરની પ્રથમ સોંપણી પણ છે.

સોની સ્પોર્ટ્સ પર બોલતા આશિષ નેહરાએ કહ્યું, ભારતની આગામી સિરીઝ 2-3 મહિના પછી છે, જે અમારા માટે એક દુર્લભ બાબત છે. તેથી રોહિત અને કોહલી જેવા ખેલાડીઓ માટે, મને લાગે છે કે આ શ્રેણી દરમિયાન અન્ય ખેલાડીઓને તક મળશે. હું જાણું છું કે ગંભીર એક નવો કોચ છે અને તે અનુભવી ખેલાડીઓ સાથે થોડો સમય પસાર કરવા માંગે છે, પરંતુ એવું નથી કે તે બંનેને ઓળખતો નથી. તેણે આગળ કહ્યું, તે કોઈ વિદેશી કોચ નથી જે કોહલી અને રોહિત સાથે પોતાનું સમીકરણ પૂર્ણ કરવા માંગે છે. તેથી તેના માટે નવા ખેલાડીઓને અજમાવવાની આ સારી તક હતી અને રોહિત-કોહલી જ્યારે ઘરેલુ સિઝન શરૂૂ થશે ત્યારે રમવાનું શરૂૂ કરશે.

Tags :
cricketindiaindia newsSportssports newsSri Lanka
Advertisement
Next Article
Advertisement