For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારતીય ટીમનો દરેક ખેલાડી ભયના વાતાવરણમાં રમી રહ્યો છે

10:55 AM Nov 18, 2025 IST | admin
ભારતીય ટીમનો દરેક ખેલાડી ભયના વાતાવરણમાં રમી રહ્યો છે

કોલકાતા ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકા સામે 30 રનથી મળેલી શરમજનક હાર બાદ, ભારતીય ટીમ વ્યાપક ટીકાઓનો સામનો કરી રહી છે. મુશ્કેલ સ્પિન ટ્રેક પર ટીમ ઈન્ડિયાની બેટિંગ ખરાબ રીતે નિષ્ફળ ગઈ. આ દરમિયાન, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે ટીમ મેનેજમેન્ટ પર ભય અને અસુરક્ષાનું વાતાવરણ બનાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

Advertisement

કૈફે પોતાની યુટ્યુબ ચેનલ પર જણાવ્યું હતું કે આજે ભારતીય ટીમમાં સૌથી મોટી ખામી સ્પષ્ટતા અને આત્મવિશ્વાસ છે. તેણે સ્પષ્ટપણે કહ્યું હતું કે, ટીમમાં ઘણી મૂંઝવણ છે. ખેલાડીઓમાં આત્મવિશ્વાસનો અભાવ હોય તેવું લાગે છે. દરેક વ્યક્તિ ડર સાથે રમી રહ્યો છે; કોઈને એવું લાગતું નથી કે ટીમ મેનેજમેન્ટ તેમની સાથે ઉભું છે.

કૈફે સરફરાઝ ખાનનું ઉદાહરણ આપ્યું, જે સદી ફટકારવા છતાં ટીમમાં પોતાનું સ્થાન મજબૂત કરવામાં નિષ્ફળ ગયો. તેને તક આપ્યા વિના જ છોડી દેવામાં આવ્યો. દરમિયાન, પાછલી મેચમાં 87 રન બનાવનાર સાઈ સુદર્શનને પણ આગામી ટેસ્ટમાં તક મળી ન હતી. કૈફના મતે, જો કોઈ ખેલાડી 100 રન બનાવ્યા પછી પણ આત્મવિશ્વાસ ન મેળવે, તો અન્ય ખેલાડીઓનો આત્મવિશ્વાસ કેવી રીતે વધશે?

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement