વર્લ્ડ કપ 2024 પહેલાં BCCIએ ટ્રાઇ સિરીઝની જાહેરાત કરી, શુક્રવારે પ્રારંભ
બીસીસીઆઇ એ આવતા વર્ષના વર્લ્ડ કપ પહેલા એક મોટી જાહેરાત કરી છે. અંડર-19 વર્લ્ડ કપ 2024 પહેલા, બીસીસીઆઇ ત્રિકોણીય શ્રેણીમાં ભાગ લેવા માટે સંમત છે. આ ત્રિકોણીય શ્રેણી ભારત, દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે યોજાવા જઈ રહી છે. અંડર 19 વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકાના 4 સ્ટેડિયમમાં રમાશે. આવી સ્થિતિમાં ત્રિકોણીય શ્રેણી પણ દક્ષિણ આફ્રિકામાં જ યોજાવા જઈ રહી છે. ભારત આ ત્રિકોણીય શ્રેણીની પ્રથમ મેચ 29 ડિસેમ્બરે અફઘાનિસ્તાન સામે રમવા જઈ રહ્યું છે.
આ ત્રિકોણીય શ્રેણીમાં ભારત અને દક્ષિણ આફ્રિકા 2 જાન્યુઆરીએ સામસામે ટકરાશે. અંડર 19 વર્લ્ડ કપ પહેલા આ ટ્રાઇ સિરીઝ ઘણી મહત્વની બની રહી છે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે ભારત આ ટ્રાઇ સિરીઝમાં ભાગ નહીં લે, પરંતુ આજે બીસીસીઆઇએ જાહેરાત કરી છે કે ભારતની અંડર 19 ટીમ પણ આ ટ્રાઇ સિરીઝમાં ભાગ લેશે. જેના કારણે ભારતીય ચાહકોનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચી ગયો છે. આ શ્રેણી જોહાનિસબર્ગના ઓલ્ડ એડવર્ડિયન્સ ક્રિકેટ ક્લબમાં રમાશે. તમામ ટીમોએ એકબીજા સામે 2-2 મેચ રમવાની છે. ભારત આ શ્રેણીની ત્રીજી મેચ 4 જાન્યુઆરીએ સામે રમશે. આ પછી ચોથી મેચ 6 જાન્યુઆરીએ દક્ષિણ આફ્રિકા સામે રમાશે. તે જ સમયે, આ ત્રિકોણીય શ્રેણીની ફાઇનલ મેચ 10 ડિસેમ્બરે રમાશે.
આ ત્રિકોણીય શ્રેણી દરમિયાન ભારતના સ્ટાર ખેલાડી ઉદય સહારન ટીમનું નેતૃત્વ કરશે. આ સિવાય વાઈસ કેપ્ટનની જવાબદારી સૌમ્ય કુમાર પાંડેને સોંપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે અંડર 19 વર્લ્ડ કપ આવતા વર્ષે 19 જાન્યુઆરીથી શરૂૂ થવા જઈ રહ્યો છે. ભારત આ વિશ્વકપમાં તેની પ્રથમ મેચ 20 જાન્યુઆરીએ બાંગ્લાદેશ સામે રમવા જઈ રહ્યું છે. આ વર્લ્ડ કપ લગભગ 22 દિવસ ચાલવાનો છે. અંડર 19 વર્લ્ડ કપની ફાઇનલ મેચ 11 ફેબ્રુઆરીએ રમાશે.
ટ્રાઇ સિરીઝ માટે ભારતીય ટીમ
અર્શિન કુલકર્ણી, આદર્શ સિંહ, રુદ્ર મયુર પટેલ, સચિન ધસ, આરાધ્યા શુક્લા, પ્રિયાંશુ મોલિયા, મુશીર ખાન, અરવેલ્લી અવનીશ રાવ (વિકેટમેન), સૌમ્ય કુમાર પાંડે (વાઈસ-કેપ્ટન), ઉદય સહારન (કેપ્ટન), મુરુગન અભિષેક, ઈનેશ મહાજન (સ). , ધનુષ ગૌડા, રાજ લિંબાણી અને નમન તિવારી.