For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બાંગ્લાદેશના શાકિબ અલ હસનનો જીવ જોખમમાં, ફેરવેલ મેચ નહીં રમે

01:33 PM Oct 19, 2024 IST | admin
બાંગ્લાદેશના શાકિબ અલ હસનનો જીવ જોખમમાં  ફેરવેલ મેચ નહીં રમે

શાકિબને હસીના સરકારનો સમર્થક માનવામાં આવે છે

Advertisement

દક્ષિણ આફ્રિકાની ટીમ બે મેચની ટેસ્ટ શ્રેણી રમવા બાંગ્લાદેશ આવી છે. આ ટેસ્ટ સિરીઝ 21 ઓક્ટોબરથી શરૂૂ થવા જઈ રહી છે. આ માટે બંને ટીમોની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. બાંગ્લાદેશની ટીમ પાસે અનુભવી ખેલાડી શાકિબ અલ હસન પણ છે. માનવામાં આવે છે કે આ શાકિબની છેલ્લી મેચ હશે. પરંતુ શાકિબ અલ હસન આ મેચમાં નહીં રમી શકે. કહેવામાં આવી રહ્યું છે કે આ મેચમાં શાકિબનો જીવ જોખમમાં આવી શકે છે.
શાકિબ અલ હસન બુધવારે રાત્રે દુબઈ પહોંચી ગયો હતો.

પરંતુ સુરક્ષાના કારણોસર તેને બાંગ્લાદેશ જતો અટકાવી દેવામાં આવ્યો છે. વાસ્તવમાં બાંગ્લાદેશમાં વડાપ્રધાન શેખ હસીનાની સરકાર વિરૂૂદ્ધ તાજેતરના હિંસક વિરોધ પ્રદર્શનોમાં પણ શાકિબનું નામ સામે આવ્યું છે. આ સમય દરમિયાન, તેની વિરુદ્ધ ઘણા આરોપો હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે અને એવી આશંકા છે કે જો સાકિબ દેશમાં પાછો ફરશે તો તેની ધરપકડ થઈ શકે છે.

Advertisement

શાકિબ અલ હસન હસીના સરકારના સમર્થક અને બરતરફ સરકારના સભ્ય રહ્યો છે. આ સિવાય તેઓ સાંસદ પણ ચૂંટાયો હતો. જ્યારે તેને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો ત્યારે મીરપુરમાં તેના વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થયા હતા, જેના કારણે સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે.

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધિકારીઓને ચિંતા છે કે જો શાકિબ આ ટેસ્ટમાં રમે છે અને કોઈ અપ્રિય ઘટના બને છે તો તેની સીધી અસર દેશની છબી પર પડશે.

આ કારણોસર બોર્ડ પણ કોઈપણ પ્રકારનું જોખમ લેવાનું ટાળી રહ્યું છે અને શાકિબનું ફેરવેલ મેચ રમવું હવે શંકાના દાયરામાં છે. આવી સ્થિતિમાં શાકિબની ક્રિકેટ કારકિર્દી વિવાદોમાં ઘેરાયેલી જોવા મળી રહી છે અને તેનું છેલ્લી મેચ રમવાનું સપનું અધૂરું રહી શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement