ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

એશિયા કપ વિજેતાને મળશે 2.6 કરોડ, મંગળવારથી ટૂર્નામેન્ટનો થશે પ્રારંભ

10:57 AM Sep 06, 2025 IST | Bhumika
Advertisement

એશિયા કપ 2025 ની 9 સપ્ટેમ્બરથી શરૂૂ થવા જઈ રહ્યો છે અને તેની અંતિમ મેચ 28 સપ્ટેમ્બરે રમાશે. આ એશિયામાં યોજાનારી સૌથી મોટી ટુર્નામેન્ટમાંની એક છે. એશિયા કપમાં મળતી ઈનામી રકમ પણ આ વાત જણાવે છે. આ વખતે એશિયન ક્રિકેટ કાઉન્સિલે એશિયા કપ જીતનાર ટીમ માટે ઈનામી રકમમાં પણ વધારો કર્યો છે. આ ઈનામી રકમ હજારો કે લાખોમાં નહીં, પરંતુ પૂરા એક કરોડ રૂૂપિયા વધારવામાં આવી રહી છે.
આ વખતે એશિયા કપ T20 ફોર્મેટમાં યોજાવા જઈ રહ્યો છે. છેલ્લી વખત 2022માં એશિયા કપ T20 ફોર્મેટમાં રમાયો હતો, ત્યારે શ્રીલંકાએ આ ટુર્નામેન્ટ જીતી હતી અને તે સમયે બે લાખ યુએસ ડોલર ઈનામી રકમ આપવામાં આવી હતી, જે ભારતીય ચલણમાં રૂૂપાંતરિત થાય ત્યારે 1.6 કરોડ રૂૂપિયા જેટલી થાય છે. આ વખતે એશિયા કપ 2025માં, વિજેતાને ત્રણ લાખ યુએસ ડોલરની ઈનામી રકમ આપવામાં આવશે, જે ભારતીય ચલણમાં 2.6 કરોડ રૂૂપિયા જેટલી થાય છે.

Advertisement

ટીમ ઇન્ડિયા એશિયા કપમાં સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ રમશે. ભારતને ગ્રુપ અ માં રાખવામાં આવ્યું છે, જેમાં પાકિસ્તાન, ઓમાન અને સંયુક્ત આરબ અમીરાત પણ શામેલ છે. એશિયા કપમાં, ટીમ ઇન્ડિયા 10 સપ્ટેમ્બરે UAE સામે પોતાની પહેલી મેચ રમશે. આ પછી, 14 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજી મેચ રમાશે. ગ્રુપ સ્ટેજની ભારતની ત્રીજી મેચ 19 સપ્ટેમ્બરે ઓમાન સામે થશે.

એશિયા કપની બધી લીગ મેચો પછી, બંને ગ્રુપમાંથી 2-2 ટીમો સુપર-4 માં જશે. ત્યાં આ ચાર ટીમો એકબીજા સાથે મેચ રમશે. સુપર-4 માંથી બે ટીમો ફાઇનલમાં પહોંચશે અને આપણને 28 સપ્ટેમ્બરે આ એશિયા કપનો વિજેતા મળશે.

Tags :
Asia Cup winnerindiaindia newsSportssports newsworldWorld News
Advertisement
Next Article
Advertisement