For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

NCAમાં ક્રિકેટરો ઉપરાંત અન્ય એથ્લેટ્સ પણ પ્રેક્ટિસ કરી શકશે

01:29 PM Aug 16, 2024 IST | admin
ncaમાં ક્રિકેટરો ઉપરાંત અન્ય એથ્લેટ્સ પણ પ્રેક્ટિસ કરી શકશે

ગઈઅમાં 3 નવા મેદાન સાથે 100 પીચ અને 45 ઇન્ડોર ટર્ફ છે

Advertisement

બીસીસીઆઇ સેક્રેટરી જય શાહે મોટી જાહેરાત કરી છે. વાસ્તવમાં હવે ક્રિકેટરો સિવાય અન્ય એથ્લેટ્સ પણ બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમીમાં પ્રેક્ટિસ કરી શકશે. અત્યાર સુધી નેશનલ ક્રિકેટ એકેડમીના દરવાજા માત્ર ક્રિકેટરો માટે જ ખુલ્લા હતા, પરંતુ હવે અન્ય ખેલાડીઓ માટે પણ ખોલવામાં આવશે. નેશનલ ક્રિકેટ એકેડમીમાં ત્રણ નવા મેદાન બનાવવામાં આવ્યા છે. આ સિવાય 100 પિચ અને 45 ઇન્ડોર ટર્ફ છે. જોકે, બીસીસીઆઈના આ પગલા બાદ ક્રિકેટરો સિવાય અન્ય ખેલાડીઓ પણ નેશનલ ક્રિકેટ એકેડમીનો લાભ લઈ શકશે.

ખાસ કરીને નેશનલ ક્રિકેટ એકેડમીમાં ભારતીય ખેલાડીઓને વધુ સારી સુવિધા આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બીસીસીઆઇ આ માટે સતત કામ કરી રહ્યું છે. હાલમાં, બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં 100 પીચો અને 45 ઇન્ડોર ટર્ફ છે. તેમજ તાજેતરમાં 3 નવા મેદાનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન અપેક્ષા મુજબ નહોતું.

Advertisement

પેરિસ ઓલિમ્પિકમાં 1 સિલ્વર મેડલ ઉપરાંત ભારતીય એથ્લેટ્સ 5 બ્રોન્ઝ મેડલ જીતી શક્યા હતા. જે બાદ ખેલાડીઓની તાલીમ અને સુવિધાઓ પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. પરંતુ હવે બીસીસીઆઈએ એક પ્રશંસનીય પગલું ભર્યું છે. અત્યાર સુધી બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ જ્યાં માત્ર ક્રિકેટરો માટે જ સુવિધાઓ હતી, હવે અન્ય એથ્લેટ્સ માટે દરવાજા ખોલવામાં આવી રહ્યા છે. બીસીસીઆઈને આશા છે કે આ પગલા બાદ અન્ય ખેલાડીઓને વધુ સારી તકો મળશે, જેના દ્વારા તેઓ તેમના પ્રદર્શનમાં સુધારો કરી શકશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement