10 ભારતીય મહિલા ક્રિકેટરોએ પલાશ મુછલને અનફોલો કર્યો
સ્મૃતિ મંધાના સાથે સંબંધોના અંતની જાહેરાત બાદની ઘટના
સ્મૃતિ અને પલાશે તેમના લગ્ન રદ કરવાની જાહેરાત તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમના લગ્નને લગતી અટકળો ઘણા સમયથી ચાલી રહી હતી, જેના કારણે બોલવું જરૂૂરી બન્યું હતું. સ્મૃતિ અને પલાશે તેમના લગ્ન રદ કરવાની જાહેરાત તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમના લગ્નને લગતી અટકળો ઘણા સમયથી ચાલી રહી હતી, જેના કારણે બોલવું જરૂૂરી બન્યું હતું.સ્મૃતિ મંધાના અને પલાશ મુછલના લગ્ન રદ થવાના સત્તાવાર સમાચાર હમણાં જ સામે આવ્યા છે, પરંતુ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર પલાશને અનફોલો કરવાનું શરૂૂ કર્યું ત્યારથીજ બ્રેકઅપની અટકળો તેજ થઈ ગઈ હતી.
એક અહેવાલ મુજબ, 10 ભારતીય મહિલા ક્રિકેટરોએ પલાશ મુચ્છલને અનફોલો કરી દીધા છે. આ 10 ભારતીય મહિલા ક્રિકેટરો સ્મૃતિ મંધાનાની ખાસ ફ્રેન્ડસ હોવાનું કહેવાય છે.રિપોર્ટ અનુસાર, પલાશ મુછલને અનફોલો કરનાર 10 ભારતીય મહિલા ક્રિકેટરોમાં સ્મૃતિ મંધાના પોતે, જેમિમાહ રોડ્રિગ્સ, રાધા યાદવ, શ્રેયંકા પાટિલ, અરુંધતિ રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, શિવાલી શિંદે, યાસ્તિકા ભાટિયા, રિચા ઘોષ અને દીપ્તિ શર્માનો સમાવેશ થાય છે.