કાશ્મીરમાં સુરક્ષા દળો-આતંકીઓ વચ્ચે અથડામણ: એક આતંકી ઠાર
- પુલવામાના આર્શીપોરા વિસ્તારમાં સર્ચ ઓપરેશનમાં સૈન્યની કાર્યવાહી
જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં આજે સવારથી સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ અથડામણમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર કર્યાના સમાચાર છે. આજે સવારથી આર્શીપોરા વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. અહેવાલ અનુસાર, ત્યાં અન્ય એક આતંકવાદી પણ છે, જેને સુરક્ષાદળોએ ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પુલવામા જિલ્લાનાં આર્શીપોરા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની બાતમી મળ્યા બાદ સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશન શરૂૂ કરવામાં આવ્યું હતું. દરમિયાન, આતંકવાદીઓએ ગોળીબાર શરૂૂ કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદી માર્યો ગયો હતો અને બીજાને સુરક્ષાદળોએ ઘેરી લીધો છે.
જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ પર ભારતીય સુરક્ષાદળો (ઈંક્ષમશફક્ષ તયભીશિિું રજ્ઞભિયત) ચાંપતી નજર રાખી રહ્યા છે. દરરોજ આતંકવાદીઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરે છે, પરંતુ સુરક્ષાદળો તેને નિષ્ફળ બનાવી દે છે. તાજેતરમાં, જમ્મુ અને કાશ્મીર પોલીસે રાજૌરી (છફષજ્ઞીશિ) અને પૂંછના સરહદી જિલ્લાઓમાં લશ્કર-એ-તૈયબા (કયઝ) ના આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. આ મોડ્યુલના 7 લોકોની ઓળખ કરવામાં આવી છે, જેમાંથી 3 ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે, શુક્રવારે (5 એપ્રિલ) ઉરી (ઞછઈં) સેક્ટરમાં નિયંત્રણ રેખા પર, સુરક્ષાદળોએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો અને 2 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ પણ વાંચો ઝયિજ્ઞિશિતિં અિિંંફભસ: શ્રીનગરમાં થયો આતંકવાદી હુમલો, ભારતીય સુરક્ષા દળોએ કાર્યવાહી હાથ ધરી