ચોટીલામાં હત્યાનો બનાવ: બોથડ પદાર્થનાં ઘા મારેલ પુરુષની લાશ મળી
ચોટીલા પંથકમાં પોલીસની ધાક વિસરાતી જતી હોય તેવા પ્રકારની ઘટનાઓ વધી રહેલ છે આજે સવારે મફતિયાપરા વિસ્તારમાં વધુ એક યુવાનની હત્યા નિપજાવેલ લાશ મળી આવતા પોલીસ ઘટના સ્થળે દોડી ગયેલ છે અને તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ ચોટીલા મફતિયાપરા વિસ્તારમાં આવેલ ક્રિકેટ મેદાન નજીક એક પુરૂૂષ ની લાશ પડેલ હોવાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો અને પ્રાથમિક તપાસમાં બોથડ પદાર્થનાં ઘા મારી હત્યા નિપજાવેલ હોવાનું જાણવા મળ્યું છે હાલ પોલીસ દ્વારા મરનાર શખ્સ અંગે આસપાસમાં તપાસ કરતા મરણજનાર મહારાષ્ટ્ર થી આવેલો હોવાનું ઘણા સમયથી ચોટીલા મફતિયાપરા વિસ્તારમાં એક મહિલા સાથે રહેતો હોવાનું અને નશાની ટેવ ધરાવતો હોવાની વિગતો મળેલ છે. પોલીસે જરૂૂરી સ્થળ નિરીક્ષણ ઇન્કવેન્સ ભરી લાશને પીએમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરેલ છે. ગત સાંજે રાજાવાડ સીમ વિસ્તારમાંથી એક દલીત યુવાનની શંકાસ્પદ લાશ મળી આવી હતી અને જેને લઇને દલીત સમાજમાં હત્યા કરાયેલ હોવાની શંકા સાથે ઉગ્ર વિરોધ કરાયો હતો હાઇવે ચક્કાજામ અને હત્યાનો ગુનો નોંધવાની માંગ કરી રોષ વ્યક્ત કરાતા પોલીસનાં ધાડા ખડકાયા હતા આગેવાનો સાથે મસલતો કરી મામલો મોડી રાતે શાંત કરાયો હતો ત્યાં જ સવારે હત્યા કરાયેલ લાશ મળી આવતા ચકચાર સર્જાયો છે.
બે દિવસમાં બે ઘટનાથી જીલ્લા પોલીસ વડા પણ ચોટીલા દોડી ગયેલ હતા અને સમગ્ર મામલે જાણકારી મેળવી જરૂૂરી થાણા અધિકારી અને તપાસ કર્તાને હત્યાનો ભેદ ઉકેલવા જરૂૂરી સુચના આપી હતી.