રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજુલાના હિંડોરણા રોડ પરના પેટ્રોલ પંપ પર સીએનજી સિલિન્ડરની ગાડીમાં લિકેજથી અફરાતફરી

11:29 AM Dec 27, 2023 IST | Sejal barot
Advertisement

રાજુલાના હિંડોરણા રોડ પર આવેલ ભારત પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ડીઝલ અને સીએનજી ,ગેસ નું વેચાણ કરવામાં આવે છે આ પંપ ઉપર સીએનજી ભરેલી ગાડી અચાનક જ લીકેજ થતા આ વિસ્તારમાં અફડા તફડી નો માહોલો સર્જાયેલ આ રોડ મુખ્ય રોડ હોય ત્યારે વાહનોની અવરજવર પણ ખુબ જ વધુ હોય છે ત્યારે આ ગેસ લીકેજ થતાં પેટ્રોલ પંપ વાળા તરફથી પોલીસ કે ફાયર ની કોઈપણ જાતની જાણ કરવા માં આવેલ ન હતી કોઈપણને જાણ શા માટે કરવામાંના આવી ? ત્યારે આ ગાડીના ડ્રાઇવર અને પંપના માણસો દ્વારા આ ગાડીના વાલ બંધ કરવા મહેનત ચાલુ કરેલ ત્યારે ભારે જહેમત બાદ આ ગાડી ના ટાંકી ના વાલ બંધ કરતા આ ગેસ બંધ થવા પામેલો ત્યારે જો આ ગેસ બંધ ન થયો હોત અને કોઈ દુર્ઘટના સર્જાયત હોત તો જવાબદારી કોની શા માટે ફાયર ને જાણ ના કરી ?
સી.એન.જી તરફથી આ ગેસનું પરિવહન જે કરવામાં આવે છે એ ગાડીઓને આર.ટી.ઓ.માં ફિટનેસ લેવામાં આવે છે કે કેમ તે પણ તપાસનો વિષય હોવાનું જાણકારો કહે છે. જો કોઈ ધટના બને તો આ પંપ પર આગ બુઝાવવા માટે ની કોઈ સુવિધા કરવામાં આવેલ છે કે કેમ ?
જો આ વાહન નો ગેસ ચાલુ રસ્તે લીકેજ થયો હોત તો ? જ્યાં આ ગેસ લીકેજ થયો ત્યાં પણ પેટ્રોલ પંપ છે અને તેની બાજુમાં પણ બીજો પંપ છે તો કેવી ધટના બને ? આવી બાબતો માં જવાબદાર કોણ ? જો સી.એન.જી ફોર વ્હીલ ગાડી માં ગેસ નું પાસિંગ ના હોય તો પંપવાળા તરફથી ગેસ પૂરી આપવામાં આવતો નથી તો આવા સમયે આ ગેસનું વાહન છે તેનું પાસિંગ થયું છે કે કેમ તે બાબતે પણ લોકોમાં ચર્ચા જાગી છે.

Advertisement

Tags :
cartCNGcylinderinpetrol pump on Hindorana Road in Rajula caused chaos due to leakageThe
Advertisement
Next Article
Advertisement