પરિક્રમા વખતે કામગીરીમાં નિષ્ફળ નીવડેલ વન વિભાગ હવે પ્રસિધ્ધિના રવાડે
જૂનાગઢ તાજેતરમાં પરંપરાગત યોજાતી ગિરનારની લીલી પરિક્રમામાં આમ તો આ મેળો આદિ અનાદિ કાળથી સ્વયંભૂ થાય છે પણ ક્યાંક ને ક્યાંક સસ્તી પ્રસિદ્ધિ મેળવવા તંત્ર અને નેતાઓ કામગીરી કરયાના મોટા દાવા કરી પ્રસિધ્ધિ મેળવવા હીચકા ખાય છે આ પરિક્રમા ના શરૂૂઆતથી જ તંત્રને સાધુ સંતો વચ્ચે થોડી ચકમક ઝરી હતી પરંતુ આ વાતને રાજકીય રૂૂપ ન મળે તે માટે બંને પક્ષોએ સંયમ રાખ્યો હતો સ્થાનિક લોકોનું માનવું છે કે જૂનાગઢના સ્વયંભૂ થતા બંને મેળા વખતે તંત્રની આમ તો કોઈ ભૂમિકા હોતી નથી પરંતુ ધરાર ભૂમિકા ભજવતી વખતે આ મેળાઓ વખતે સેવા કરતા સંસ્થાઓ વાળા તેમજ પ્રવાસીઓને હેરાન કરવામાં કોઈ પાછી પાની રાખતા નથી સ્વયંભૂ એકત્રિત થતી જન્મે માટે તંત્ર લાઈટ પાણી કે જાઝરુ ની વ્યવસ્થા કરી શકે તેટલી પણ આ બાબુઓ પાસે આજ સુધી આવડત સ્થાનિક લોકોને દેખાઈ નથી તેમાં પણ આ વખતે સેવાના નામે લાભ ચરી ખાવા વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની નજર તળે NON WOVEN બેગ ફાઈબર (પ્લાસ્ટિક) ના રેસા માંથી બનેલી હોય છે, માટે Plastic campaign દરમ્યાન પ્લાસ્ટિકને જંગલ વિસ્તારમાં સરળતા થી ઉપાડી શકાય છે,પરંતુ આ Non woven બેગ વિખેરાઈ જવાને કારણે તેનું પ્લાસ્ટિક ભેગું નથી કરી શકાતું માટે જંગલ માટે આ ઘાતક છે તેવું પ્રકૃતિ પ્રેમીઓ માની રહ્યા છે આ વખતની પરિક્રમામાં Non woven ની લાખો બેગો સંસ્થાઓ વાળાઓએ વેચી છે જ્યારે જંગલમાં લઈ જવામાં માટે પ્લાસ્ટિક પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ત્યારે આટલું પ્રકૃતિ માટે ઘાતક મટીરીયલ જંગલમાં ઘુસાડવામાં આવ્યું તેના માટે જવાબદાર કોણ ? તેઓ વૈધક સવાલ પણ પ્રકૃતિ પ્રેમી લોકોમાં ઉઠી રહ્યો છે આ ઉપરાંત પરિક્રમા ના ઇતિહાસ માં પહેલી વખત કોઈ જંગલી પશુ દ્વારા લોકો પર હુમલાનો બનાવ આ વખતે નોંધાયો છે ત્યારે પરિક્રમા ના આયોજન પૂર્વે વન વિભાગના અધિકારીઓ દ્વારા સબ સલામત ના દાવાઓ કરતું વન વિભાગ ઊંઘતું સામે આવ્યું છે.
ગિરનાર લીલી પરિક્રમાના રૂૂટના બોરદેવી ગેઇટથી ખોડીયાર ઘોડી સુધીના વિસ્તારમાં વન વિભાગના 20 જેટલા શ્રમિકો દ્વારા સફાઈ હાથ ધરવામાં આવી હતી. જેમાં અંદાજિત 1 ટન જેટલો કચરો એકઠો કરવામાં આવ્યો હતો. તેમજ પરીક્ષેત્ર વન અધિકારી, ડુંગર ઉત્તર પરીક્ષેત્ર, જૂનાગઢએ તેમના કાર્યવિસ્તારમાં પાટવડ રાઉન્ડમાં આવતા હથેળીથી સરકડીયા પરિક્રમા રૂૂટ ખાતે વન વિભાગના સ્ટાફ અને મેંદાપરા તથા માલીડા ગામના 14 જેટલા ગ્રામજનોએ સફાઇની કામગીરી કરી અંદાજિત 0.5 ટન ગિરનાર જંગલ વિસ્તારમાંથી પ્લાસ્ટિક તથા કચરો એકઠો કરવાની કામગીરી ચાલુ છે. આમ, વન વિભાગના સ્ટાફ, શ્રમિકો, આસપાસના ગામ લોકો સાથે મળી અંદાજિત 1.5 ટન જેટલો પ્લાસ્ટિક અને કચરો એકઠો કરવાની કામગીરી કરવામાં આવી હતી. જેનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો.
જૂનાગઢ વન વિભાગ તળેના ગિરનાર અભયારણ્ય જંગલ વિસ્તારમાં ચાલુ વર્ષે ગિરનાર લીલી પરિક્રમા-2023 અંતર્ગત પરિક્રમામાં દરમિયાન પરિક્રમા રૂૂટના જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક તથા કચરાના નિકાલ માટે કલેકટર અનિલકુમાર રાણાવસિયા અને નાયબ વન સંરક્ષક અક્ષય જોશીની સુચના અને માર્ગદર્શન હેઠળ સફાઈ કરવામાં આવી રહી છે.