For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાલાવડમાં દલાલ 10 કરોડનુ ફુલેકું ફેરવી નાસી જતા યાર્ડ ત્રણ દિવસથી બંધ

12:30 PM Dec 11, 2023 IST | Sejal barot
કાલાવડમાં દલાલ 10 કરોડનુ ફુલેકું ફેરવી નાસી જતા યાર્ડ ત્રણ દિવસથી બંધ

કાલાવડ માર્કેટિંગ યાર્ડ મા દલાલ 10 કરોડ નું ફુલેકું ફેરવી નાસી જતા યાર્ડ ત્રણ દિવસ થી બંધ. કાલાવડ માર્કેટિંગ યાર્ડ મા જે ભગવાન ટ્રેડિંગ કુ.નામની પેઢીએ કરોડો નું ફુલેકું ફેરવતા અનેક વેપારીઓ મુકાયા મુશ્કેલી મા. વેપારીઓ ખેડૂતો નો માલ નહિ ખરીદતા ખેડૂતો મા પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. જે ભગવાન ટ્રેડિગ કંપની ચલાવતા વિજય તાળા અને કરશન પ્રાગડા હાલ છેલ્લા પાંચ દિવસ થી ફરાર છે. બંને વેપારી ના ફોન પણ હાલ સ્વીચ ઓફ આવી રહ્યા છે. કાલાવડ માર્કેટિંગ યાર્ડ છેલ્લા ત્રણ દિવસ થી બંધ રહેતા ખેડૂતો મા પણ રોષ ની લાગણી જોવા મળી રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ દલાલ જે પેઢી ચલાવતો હતો તે પેઢી પાસે લાઈસન્સ પણ ન હતું. ત્રણ દિવસ યાર્ડ બંધ રહેતા તમામ વેપાર ખોરવાય જવા પામ્યા છે અને યાર્ડ ના સતાધીશો પણ ચુપકીદી સેવી રહ્યા છે. ત્રીસ થી ચાલીસ વેપારીઓ નો જ આંકડો દશેક કરોડ નો છે હજી પણ આંકડો મોટો આવે તેવી શકયતા સેવાઈ રહી છે. યાર્ડ ના ચેરમેન મૌલિક નથવાણી અને યાર્ડ ના ડાયરેક્ટરો એ અથાગ પ્રયત્નો કરવા છતાં પણ કંઈ સાફ સુથરું જણાતું નથી અને હજુ પણ આજે યાર્ડ બંધ રહેશે તેવું જણાય રહ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement