For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમરેલીમાં ગૃહકલેશથી કંટાળી પરિણીતાનો એસિડ પી આપઘાત

11:55 AM Dec 12, 2023 IST | Sejal barot
અમરેલીમાં ગૃહકલેશથી કંટાળી પરિણીતાનો એસિડ પી આપઘાત

અમરેલીમાં રહેતી પરિણીતાએ ગૃહકલેશથી કંટાળી એસિડ પી લીધું હતું પરિણીતાનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ અમરેલીમાં આવેલા હનુમાનપરા વિસ્તારમાં રહેતી ભારતીબેન જનકભાઈ વાળા નામની 23 વર્ષની પરિણીતા બે દિવસ પૂર્વે પોતાના ઘરે હતી ત્યારે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં એસિડ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતા બેશુદ્ધ હાલતમાં અમરેલી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક ભારતીબેન વાળાના પતિ આરટીઓ એજન્ટ છે અને ગૃહકલેશથી કંટાળી ભારતીબેન વાળાએ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં કાલાવડના પીપર ગામે રહેતા સુરભાન નાદણીયા કાલરા નામના 30 વર્ષના શ્રમિક યુવાને દારૂૂના નશામાં ઝેરી દવા પી લીધી હતી યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement