For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બગસરાથી વડિયાની એસટી બસ બંધ કરાતા મુસાફરોમાં રોષ

12:47 PM Dec 13, 2023 IST | Sejal barot
બગસરાથી વડિયાની એસટી બસ બંધ કરાતા મુસાફરોમાં રોષ

બગસરા એસટી ડેપોમાં ઘણા સમયથી બગસરાથી વડીયા તરફ જતી એસટી બસ સવારે સાત કલાકે વાયા ડેરી પીપરીયા બાલાપુર નાજાપુર સહિતના ગામડાઓમાંથી પસાર થઈ અને પેસેન્જરને સંતોષકારક આ એસટી બસ સમયસર રૂૂટ ચાલતો હોય ત્યારે અચાનક બગસરા એસટી ડેપોના મેનેજરને શું થયું કે તે બસ બંધ કરી અને બગસરા અમરેલીમાં તે બસ મૂકવામાં આવી જોકે સવારે 6:30 કલાકે તે બસ રૂૂટમાં ચાલે છે પરંતુ તે રૂૂટમાં માત્ર ડ્રાઇવર કંડકટર જાય છે અને પાછા ચાલ્યા આવે છે કારણ કે તે સમયમાં 6:30 થી સ્ટાર્ટ થાય કે 8:30 સુધીમાં સાત બસ બગસરા થી અમરેલી તરફ જાય છે છતાં ડેપો મેનેજર દ્વારા બગસરા વડીયા જે વર્ષોથી આ રૂૂટ છે તેને શું થયું કે અચાનક બંધ કરી દેવામાં આવી અને હાલ પેસેન્જર હેરાન થાય છે અને તે રૂૂટમાં તે પેસેન્જર રાહ જોઈને ઊભા રહે છે આવું જ રહ્યું તો પેસેન્જર દ્વારા આ બસને તાત્કાલિક ચાલુ કરવામાં નહીં આવે તો પેસેન્જરો દ્વારા પ્રેસ મીડિયાને જણાવ્યું હતું કે અમે લોકો ગાંધીજીને માર્ગે જવું પડશે કારણકે એસટી વિભાગના કર્મચારીઓ અને જવાબદાર અધિકારીઓને અનેકવાર આ બાબતે વાતચીત કરવામાં આવી છતાં તેને પેટમાં પાણી પણ હલતું નથી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement