દ્વારકા જિલ્લાની પાણી પુરવઠા વિભાગની સમીક્ષા બેઠક યોજાઇ
ગુજરાત સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી. ખંભાળિયામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પ્રગતિ હેઠળ તથા શરૂૂ કરવાના બાકી વિકાસ કામો વિવિધ વિભાગો વચ્ચે સંકલન કરીને સમયસર પૂર્ણ કરવા તાકીદ કરી હતી. મશીનરીઓની જરૂૂરિયાત, પાઈપલાઈનની કામગીરી સહિતની કામગીરી અંગે આવશ્યક સૂચનો આપ્યા હતા.તેમણે પાણી પુરવઠા વિભાગને લગતી કામગીરી તાકીદે પૂર્ણ કરી છેવાડાના માનવી સુધી પાણી પહોંચાડવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ ગ્રાન્ટ, ટેન્ડર પ્રક્રિયા અને પ્રોજેક્ટ મંજૂરી અંગે ચર્ચા-વિચારણા કરી હતી.આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર અશોક શર્મા, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.