For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગિફટ સિટીમાં દારૂબંધીમાં આપવામાં આવેલ છુટછાટ અંગે પુન: વિચારવાં સીએમને ભલામણ

04:40 PM Dec 29, 2023 IST | Sejal barot
ગિફટ સિટીમાં દારૂબંધીમાં આપવામાં આવેલ છુટછાટ અંગે પુન  વિચારવાં સીએમને ભલામણ

તાજેતરમાં ગાંધી વિચારસરણી ધરાવતા સામાજિક આગેવાનોની એક અગત્યની મિટિંગ માજી મંત્રી જયંતીભાઇ કાલરીયાના પ્રમુખ પદે યોજાઈ ગઈ. ગાંધી કાર્યપદ્ધતિનો મહતમ ઉપયોગ કરી શકાય તે માટે મહાત્મા ગાંધી વિચાર મંચની સ્થાપના કરવામાં આવી હતી.
આ મિટિંગમાં માજી મંત્રી જયંતીભાઇ કાલરીયા, સુરેશ ચેતા, એડવોકેટ હિંમતભાઈ લાબડીયા, રાજુભાઇ વ્યાસ, રસિકભાઈ સોલંકી, એડવોકેટ હસમુખભાઈ સોલંકી, અતુલભાઈ જોષી, બળવંતભાઈ ચૌહાણ, પરેશભાઈ પંડ્યા, સતિષભાઈ તેરૈયા, ભાવેશભાઈ આચાર્ય, વિરલભાઈ ડાભી, મધુરિકાબેન જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ મિટિંગમાં ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં ગિફ્ટ સિટીમાં દારૂૂબંધીમાં આપવામાં આવેલી છુટછાટ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને આ અંગે સરકારનું ધ્યાન દોરવા માટે કલેકટર મારફત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને એક આવેદનપત્ર પાઠવી ગુજરાતમાં દારૂબંધી યથાવત રાખવા માંગણી કરતું આવેદનપત્ર આપવાનું નક્કી થયેલ.
આવેદનપત્ર આપવામાં પૂર્વ મંત્રી જયંતીભાઇ કાલરીયા સાથે સમાજિક અગ્રણીઓ સુરેશ ચેતા, એડવોકેટ હિંમતભાઈ લાબડીયા, આર. વી. સોલંકી, રાજુભાઇ વ્યાસ, રસિકભાઈ નિમાવત, નયનભાઈ કોઠારી, પરેશભાઈ પંડ્યા, ધર્મેન્દ્રભાઈ ગઢવી, નટુભા ઝાલા વગેરે જોડાયા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement