રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શિક્ષિકાના નિવૃત્તિના કાગળો કરી પરત ફરતા પતિનું બાઈક અકસ્માતમાં મોત

01:28 PM Feb 05, 2024 IST | Bhumika
Advertisement

જેતપુરમાં રહેતા આધેડ વાંકાનેરમાં શિક્ષક પત્નીના નિવૃત્તિના કાગળો કરી પરત ફરી રહ્યા હતા ત્યારે ગોંડલના સડક પીપળીયા પાસે મિત્રના બાઈક પાછળથી અકસ્માતે નીચે પટકાતા મોત નીપજ્યું હતું આધેડના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જેતપુરમાં આવેલા સરદાર ચોકમાં રહેતા દિલીપભાઈ છોટેલાલ ગોહેલ નામના 58 વર્ષના આધેડ પાંચ દિવસ પૂર્વે મિત્ર શૈલેષભાઈના બાઈક પાછળ બેસીને વાંકાનેરથી જેતપુર પરત ફરી રહ્યા હતા ત્યારે ગોંડલના સડક પીપળીયા પાસે મિત્રના બાઈક પરથી દિલીપભાઈ ગોહેલ અકસ્માતે નીચે પટકાયા હતા દિલીપભાઈ ગોહિલને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

પ્રાથમિક પૂછપરછમાં દિલીપભાઈ ગોહેલ ત્રણ ભાઈ બે બહેનમાં વચ્ચેટ હતા. તેમને સંતાનમાં બે પુત્રી છે અને પોતે નિવૃત્ત શિક્ષક હતા. તેની પત્ની હર્ષિદાબેન વાકાનેરમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે અને તેના નિવૃત્તિના કાગળો કરીને વાંકાનેરથી જેતપુર પરત ફરી રહ્યા હતા ત્યારે મિત્રના બાઈક પરથી અકસ્માતે નીચે પટકાતા મોત નીપજયુ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
accidentdeathgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement