સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

પોરબંદર-મુઝફ્ફરપુર મોતિહારી એકસ. ટ્રેન કાલે ડાઇવર્ટ રૂટ પર દોડશે

04:17 PM Jun 12, 2024 IST | admin
Advertisement

ઉત્તર પશ્ચિમ રેલવેના અજમેર ડિવિઝનમાં આવેલા બ્રિજ નંબર 545 ના મેન્ટેનન્સ કામ અને પૂર્વ મધ્ય રેલવેના સમસ્તીપુર ડિવિઝનમાં નોન-ઇન્ટરલોકિંગના કામને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી પોરબંદર-મુઝફ્ફરપુર મોતીહારી એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂૂટ પર દોડશે. 13 જૂન, 2024ના રોજ પોરબંદરથી ઉપડનારી ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર મોતિહારી એક્સપ્રેસ, અજમેર ડિવિઝનમાં બ્રિજના મેન્ટેનન્સ કામને લીધે તેના નિર્ધારિત રુટ મારવાડ-અજમેર-ફુલેરાના બદલે ડાઈવર્ટ કરેલા રુટ વાયા જોધપુર-મેડતા-ડેગાના થઈ ને સમસ્તીપુર ડિવિઝનમાં તેના નિર્ધારિત રુટ નરકટિયાગંજ-બાપુધામ મોતિહારી-મુઝફ્ફરપુરના બદલે ડાઈવર્ટ કરેલા રુટ વાયા નરકટિયાગંજ-સિકટા-રક્સૌલ-સીતામઢી-મુઝફ્ફરપુર થઈને જશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં બ્યાવર, અજમેર, બેતિયા, સગૌલી, બાપુધામ મોતિહારી, ચકિયા અને મહેસીનો સમાવેશ થાય છે.

Advertisement

Tags :
gujaratgujarat newsPorbandarPorbandar newsrailway departmenttrain
Advertisement
Next Article
Advertisement