સૌરાષ્ટ્રનાં રાજકીય, સામાજિક મહાનુભાવો અને અધિકારીઓએ કર્યુ મતદાન
દેશમાં ત્રીજા તબક્કાની લોકસભાની 93 બેઠકો સાથે આજે સૌરાષ્ટ્ર-કચ્છની આઠ બેઠકો ઉપર પણ સવારથી મતદાનનો પ્રારંભ થયેલ છે ત્યારે સવારના પ્રથમ બે કલાકમાં જ સૌરાષ્ટ્રના મોટાભાગના ઉમેદવારો તથા મહાનુભાવો અને રાજકીય નેતાઓએ પોત પોતાના મત વિસ્તારમાં મતદાન કરી લોકોને પણ મતદાન કરવા અપીલ કરી હતી. સૌરાષ્ટ્રનાં તમામ મોટા નેતાઓએ સવારમાં મતાધિકારનો ઉપયોગ કરી લીધો હતો. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, કેબીનેટ મંત્રીઓ ભાનુબેન બાબરીયા, રાઘવજી પટેલ, કુંવરજી બાવળીયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા તેમજ ધારાસભ્ય જયેશ રાદડિયા, રીવાબા જાડેજા, ઉદય કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રાજકોટના મેયર નૈનાબેન પેઢડીયા, રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, પૂર્વ પ્રમુખ ભુપત બોદર, પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, રૂરલ એસપી જયપાલસિંહ રાઠોડ, ભાજપના નેતા ધનસુખ ભંડેરી, ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ વગેરેએ મતદાન કર્યુ હતું.