For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સ્વામીની પાપલીલા દબાવવાનો પોલીસનો ભરપૂર પ્રયાસ: આરોપીઓ ભૂગર્ભમાં

11:55 AM Jun 17, 2024 IST | Bhumika
સ્વામીની પાપલીલા દબાવવાનો પોલીસનો ભરપૂર પ્રયાસ  આરોપીઓ ભૂગર્ભમાં
Advertisement

જિલ્લામાં સતત ત્રીજા દિવસે બળાત્કારની ઘટના સામે આવી; ગુરુકુળના બે સ્વામી સહિત ત્રણ શખ્સોને પોલીસે નાસી જવા મોકળું મેદાન આપ્યું; અખબારોથી માહિતી છુપાવી

રાજકોટના નાનામવા નજીક આવેલ ટીઆરપી ગેમઝોનમાં લાગેલી ભીષણ આગમાં શહેર પોલીસ તંત્ર અને મહાનગર પાલિકાના અધિકારીઓના હાથ ખરડાયેલા છે હજુ આ પ્રકરણ શાંત થવાનું નામ નથી લેતું ત્યાં જિલ્લા પોલીસ તંત્રએ બળાત્કારીઓને મોકળુ મેદાન આપી નાસી જવામાં મદદ કરી હોવાની ચર્ચાએ ભારે જોર પકડયું છે.

Advertisement

ઉપલેટા નજીક ખીરસરા (ઘેટીયા) ગામે આવેલ સ્વામી નારાયણ ગુરૂકુળના બે સ્વામી અને હોસ્ટેલ સંચાલક સામે બળાત્કાર અને મદદગારીની ફરિયાદ નોંધાયા બાદ પોલીસ તંત્રએ આવા ગંભીર ગુનાની માહિતી છુપાવી આરોપીઓને ભુર્ગભમાં ઉતરી જવા માટે રસ્તો આસાન કરી દીધો હતો. આ ઘટના મોડેથી પ્રકાશમાં આવ્યા બાદ પોલીસ તંત્ર પર માછલા ધોવાઈ રહ્યાં છે અને આરોપીઓને છાવરવાનો પ્રયાસ કરી રહ્યાં હોવાનું બહાર આવ્યું છે.
જિલ્લામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને લાંછન લગાડવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભાયાવદર પોલીસ સ્ટેશનમાં શનિવારે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટિયા ગામે સ્થિત સ્વામિનારાયણ ગુરુકુલના બે સ્વામિનારાયણ સંતો સહિત ત્રણ વ્યક્તિઓ સામે ઈંઙઈની કલમ 376 (2) (ગ), 313, 114 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ખીરસરા ઘેટિયા ગામે સ્વામિનારાયણ ગુરુકુળના ધર્મસ્વરૂૂપદાસ સ્વામીએ 30 વર્ષીય મહિલાની છેલ્લા ત્રણ વર્ષથી છેડતી થઈ રહી હોવાનો ઘટસ્ફોટ કર્યો છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ધર્મસ્વરૂૂપદાસ સ્વામી દ્વારા 25/12/2020 ના રોજ ફેસબુક દ્વારા મહિલાને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી. મહિલાએ ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી હતી. ત્યારબાદ ધર્મસ્વરૂૂપદાસ સ્વામી મહિલા સાથે ફેસબુક અને વોટ્સએપ પર વાતચીત કરતા હતા.

બંને વચ્ચે મિત્રતા બંધાઈ ગઈ. ત્યારબાદ ફેબ્રુઆરી 2021માં સ્વામીએ મહિલાને મળવા બોલાવ્યા. જેથી મહિલા સ્વામીને મળવા ખીરસરા ગામ ખાતે આવેલ ગુરુકુળમાં ગઈ હતી. જ્યાં મયુર કસોદરિયા નામનો વ્યક્તિ તેને લેવા આવ્યો હતો.

ગુરુકુળના ગેસ્ટ રૂૂમમાં મહિલા જ્યાં હાજર હતી ત્યાં સ્વામી પણ પહોંચ્યા. પછી તેણે ખોટી સહાનુભૂતિ બતાવીને મહિલાને ભેટી પડી. તે જ સમયે તેણે મહિલાને ચુંબન કરવાનો પ્રયાસ કર્યો. જેનો તે સમયે મહિલા દ્વારા પ્રતિકાર કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. ત્યારપછી સ્વામી દ્વારા ગેસ્ટ રૂૂમમાં લગ્ન કરાવવામાં આવ્યા હતા, જેમણે સ્વામીને હું તારી સાથે લગ્ન કરીશ તેમ કહી છેતરપિંડી કરી હતી. ત્યારે સ્વામીએ કહ્યું કે હવે મને તારો કાયદેસર પતિ કહેવો જોઈએ જેથી તારી ઉપર મારો અધિકાર છે તેમ કહી મહિલા સામે શારીરિક સંબંધ બાંધ્યા હતા.

સ્વામીએ મહિલાને કહ્યું કે અમે સમાજમાં કાયદેસર રીતે લગ્ન કરી શકતા નથી, અમારે સાધુ અને સાધ્વી તરીકે સાથે રહેવું પડશે. પછી ફરી તે મહિલા સ્વામીને મળવા ગુરુકુળ ગઈ. મહિલા તેના પરિવારને પણ ગુરુકુળમાં લઈ ગઈ હતી. જ્યાં તેમને સ્વામીએ કાંતિ દાન કરીને દીક્ષા લીધી હતી.

હોસ્ટેલના મેનેજર તરીકે મયુર કસોદરિયા સ્વામીના તમામ રહસ્યો જાણે છે. વળી, તે સ્વામીને દરેક કામમાં મદદ કરતો. જ્યારે મહિલા હોસ્ટેલના રૂૂમમાં રહેતી ત્યારે સ્વામીએ તેની સાથે દિવસ અને રાત્રે પાંચ વખત તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. મહિલાને થોડા દિવસોમાં માસિક સ્ત્રાવ ચૂકી જતાં તેણે સ્વામી સાથે વાત કરી. જેથી સ્વામી દ્વારા મયુર સાથે પ્રેગ્નન્સી કીટ મોકલવામાં આવી હતી. કિટ દ્વારા તપાસ કરાતા મહિલા ગર્ભવતી હોવાનું પણ બહાર આવ્યું હતું. સમગ્ર મામલે સ્વામીએ મયુર સાથે ગર્ભપાત માટે દવા પણ મોકલી હતી. દવા લેવાથી મહિલા ગર્ભવતી બની હતી.

મહિલાના જણાવ્યા મુજબ સ્વામીએ સાધ્વીને ભુજ ખાતે તાલીમ માટે પણ મોકલી હતી. ભુજ ખાતે તાલીમ પૂર્ણ કર્યા બાદ તેને હળવદની તાલીમમાં પણ મોકલવામાં આવ્યો હતો.દરમિયાન ટ્રેનિંગ પૂરી કરીને મહિલા ટીમ ટીંબડી પહોંચી હતી. મહિલા અને ધર્મસ્વરૂૂપદાસ વચ્ચે મતભેદ થયા બાદ મહિલાને મોટા સ્વામી નારાયણ સ્વરૂૂપદાસે સમજાવી હતી.

ધર્મસ્વરૂૂપદાસ સ્વામી, નારાયણ સ્વરૂૂપદાસ સ્વામી અને મયુર કસોદરિયાએ મળીને મહિલાને ધમકી આપી હતી કે જો તું આ વાત કોઈને કહીશ તો અમે તારી સામે જોઈ લઈશું અને સમાજમાં તને બદનામ કરીશું અને તને જીવવા નહીં દઈશું.

બધું છોડીને મહિલા રાજકોટ પહોંચી હતી અને તેની માતાને પણ આખી વાત કરી હતી. રાજકોટ આવ્યા બાદ પણ સ્વામી ફોન કરીને ધમકીઓ આપતા હતા. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું હતું કે જો તમે કેસ દાખલ કરશો તો કોઈ તમારી વાત નહીં માને. તેમજ મોતા સ્વામી નારાયણસ્વરૂૂપદાસ અને હું ખૂબ નજીક છીએ. તું મારું કંઈ નહિ કરી શકે અને અમે સમાજમાં તને બદનામ કરીશું.

ત્રણ દિવસમાં બળાત્કારની ત્રણ ઘટના
રાજકોટ જિલ્લામાં જાણે બળાત્કારીઓને પોલીસ તંત્ર છાવરી રહી હોય તેવી છાપ ઉપસી રહી છે. જેના કારણે જિલ્લામાં બળાત્કારની ઘટનાઓ સતત વધી રહી છે. રાજકોટ જિલ્લાના શાપર વેરાવળમાં બળાત્કારની ઘટના પ્રકાશમાં આવી હતી. ત્યારબાદ બીજા દિવસે પડધરીમાં સગીર બાળાને કૌટુંબીક કાકો જ ભગાડી ગયા બાદ તેના પર દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારે ત્રીજી ઘટના ભાયાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જેમાં સ્વામીનારાયણ સંતે યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી સગર્ભા બનાવી દીધાનો કિસ્સો સામે આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement