ખંભાળિયાના જૂની પેઢીના સેવાભાવી તબીબના રૂબરૂ હાવભાવ પૂછતા પરિમલ નથવાણી
02:12 PM May 08, 2024 IST | Bhumika
Advertisement
ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીને દાયકાઓ પછી પણ તેમના વતન ખંભાળિયા પ્રત્યે આદર તેમજ લાગણી જળવાઈ રહી છે. તેઓ હજુ પણ જુના સંબંધોને યાદ કરી ખંભાળિયાવાસીઓ પ્રત્યે આદર તેમજ પ્રેમની લાગણી વ્યક્ત કરે છે. ખંભાળિયાના જૂની પેઢીના પીઢ અને સેવાભાવી તબીબ ડો. એન.ડી. ચોકસીની તબિયત છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત હોવાથી આ અંગે ગઈકાલે મંગળવારે અત્રે આવેલા પરિમલભાઈ નથવાણીને જાણ થતા તેઓ ખાસ તેમના નિવાસ્થાને ગયા હતા અને તેમની તબિયતના ખબર અંતર પૂછી, વહેલી તકે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી.
Advertisement