પાકિસ્તાન T-20 વર્લ્ડ કપમાંથી બહાર થશે ?
પાકિસ્તાન તેની T20 વર્લ્ડ કપ ટીમની જાહેરાત 23 અથવા 24 મેના રોજ કરશે, જે ઈંઈઈ દ્વારા વર્લ્ડ કપ ટેકનિકલ કમિટીની પરવાનગી વિના તેની ટીમમાં ફેરફાર કરવા માટે નિર્ધારિત સમયમર્યાદા પણ છે. પીસીબીના સૂત્રો અનુસાર, મેનેજમેન્ટ અને પસંદગીકારો મોહમ્મદ રિઝવાન, આઝમ ખાન, ઈરફાન ખાન નિયાઝી અને હરિસ રઉફની નાની ઈજાઓથી ચિંતિત છે અને તેઓ આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડમાં તેમના પ્રદર્શન પર નજર રાખશે.
પાકિસ્તાની ટીમમાં કેપ્ટનશિપનો વિવાદ છે. ગયા વર્ષે બોર્ડે બાબર આઝમને હટાવીને શાહીન આફ્રિદીને કેપ્ટન બનાવ્યો હતો. પરંતુ ટી20 વર્લ્ડ કપ પહેલા ફરી એકવાર બાબર આઝમને કપ્તાની સોંપવામાં આવી છે.
પીસીબીના પસંદગીકારો આજે આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડના પ્રવાસ માટે ટીમની જાહેરાત કરશે. ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારો વર્લ્ડ કપની ટીમની જાહેરાત કરતા પહેલા પસંદગી પામેલા ખેલાડીઓની ફિટનેસ અને પ્રદર્શનનું મૂલ્યાંકન કરશે.