For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

MSMEના લેણા પૈસાની તકરારના કેસની આજથી ઓનલાઈન સુનાવણી

03:43 PM Jun 19, 2024 IST | admin
msmeના લેણા પૈસાની તકરારના કેસની આજથી ઓનલાઈન સુનાવણી

એમએસએમઈ લઘુ ઉદ્યોગો અને નાના ઉદ્યોગકારોને 45 દિવસમાં પેમેન્ટ કરવાનું ફરજિયાત કરતાં કેન્દ્ર સરકારના કાયદા અને નિયમની કડક અમલવારી કરવા માટે રાજકોટમાં આજથી એડીશ્નલ કલેકટરના અધ્યક્ષસ્થાને એક કમીટીની રચના કરી લઘુઉદ્યોગોના 45 દિવસના પેમેન્ટની ભરપાઈ નહીં કરતાં વેપારીઓ સામે આજથી ઓનલાઈન સુનાવણી શરૂ કરવામાં આવી છે. આજે એડીશ્નલ કલેકટર સમક્ષ પૈસા-લેણાના 25 કેસ મુકવામાં આવ્યા હતાં. જેમાં 21 કેસના અરજદારો પક્ષકારો ગુજરાત બહારના હોય ઓનલાઈન સુનાવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

Advertisement

કેન્દ્ર સરકાર દ્વારા લઘુઉદ્યોગોનો વિકાસ થાય અને નાના એકમોના વેપારીઓને ઝડપથી પૈસા મળી રહે તે માટે 45 દિવસમાં પેમેન્ટ કરવાનો નવો કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે. દેશભરમાં નાના ઉદ્યોગકારોએ આ નવા કાયદાને આવકારીને કેન્દ્ર સરકારના પગલાંને સ્વિકારી લીધું છે ત્યારે અમુક ઉદ્યોગકારોએ આ નિયમ રદ કરવા માંગણી કરી હતી. પરંતુ કેન્દ્ર સરકારે 45 દિવસમાં પેમેન્ટ ફરજિયાત કરવાનો નિયમ રદ નહીં થાય તેવું જણાવ્યું હતું.

બીજી બાજુ કેન્દ્ર સરકારના આદેશથી એડીશ્નલ ચેતન ગાંધીની અધ્યક્ષતામાં એક કમીટીની રચના કરવામાં આવી છે. જેમાં ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો અને સરકારી વકીલ સહિતના પાંચ સભ્યોની બનેલી આ કામીટીમાં એમએસએમઈની હેઠળના 1800 કેસો મુકવામાં આવ્યા છે. રાજકોટ શહેર જિલ્લામાં લઘુઉદ્યોગકારો પાસેથી માલ લીધા બાદ 45 દિવસમાં પેમેન્ટ નહીં કરતાં 1800 થી વધુ કેસોનો ભરાવો થઈ જતાં આજથી આ કેસોની સુનાવણી શરૂ કરવામાં આવી છે. એડીશ્નલ કલેકટરના અધ્યયસ્થાને મળેલી કમીટીમાં આજે 25 કેસા મુકવામાં આવ્યા હતાં. જેમાં 21 કેસના અરજદારો અને પક્ષકારો ગુજરાત બહારના હોય તેઓની સુનાવણી ઓનલાઈન કરવામાં આવી છે. સાંજ સુધીમાં આ 25 કેસોનો નિકાલ કરવામાં આવશે. જેની સુનાવણી પૂર્ણ થયા બાદ એડીશ્નલ કલેકટરનો ચુકાદો આખરી રહેશે. એમએસએમઈના લેણા નીકળતાં પૈસાની 45 દિવસમાં ભરપાઈ ન કરી હોય તેવા કેસોમાં 50 લાખ કે તેથી ઓછાની લેણી રકમના કેસો જ એડીશ્નલ કલેકટર સમક્ષ મુકવામાં આવ્યા છે.

Advertisement

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મિનિ ઉદ્યોગ અદાલતનું આયોજન કરાશે
રાજકોટ શહેર અને જિલ્લામાં ઓટોપાર્ટસ સહિતના અનેક ઉદ્યોગો આવેલા છે અને આવા નાના એકમોના વેપારીઓ દ્વારા ગુજરાત અને ગુજરાત બહાર માલની સપ્લાય કરતાં હોય 45 દિવસમાં પેમેન્ટ ફરજિયાત કરાવવાની કેન્દ્ર સરકારે કાયદો બનાવ્યો હોવા છતાં ગુજરાત બહારના અમુક વેપારીઓ 45 દિવસમાં પેમેન્ટ નહીં કરતાં હોય તેના માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. જ્યારે આગામી સમયમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા 1800થી વધુ કેસોનો ભરવો થઈ ગયો હોય નાના વેપારીઓને તાત્કાલીક ન્યાય મળે તે માટે ટૂંક સમયમાં જ મીની ઉદ્યોગ અદાલતનું આયોજન કરવાની વિચારણા કરી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement