For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દિલ્હી-ગુરુગ્રામમાં યમુનાના પાણીનો કહેર, 10,000નું રેસ્ક્યુ, રાજસ્થાનમાં ડેમ તૂટ્યો

11:16 AM Sep 03, 2025 IST | Bhumika
દિલ્હી ગુરુગ્રામમાં યમુનાના પાણીનો કહેર  10 000નું રેસ્ક્યુ  રાજસ્થાનમાં ડેમ તૂટ્યો

યમુનાનું જળસ્તર ઐતિહાસિક 208 મીટરના લેવલે, પંજાબ આપતિગ્રસ્ત જાહેર, રાજસ્થાનના 13 જિલ્લામાં હાઇએલર્ટ, હરિયાણામાં 200 સ્કૂલ બંધ

Advertisement

ઉત્તર-પશ્ર્ચિમ ભારત પર ભારે વરસાદથી પુરની સમસ્યા સર્જાઇ છે. પંજાબને ધમરોળી નાખ્યા બાદ કેન્દ્ર સરકારે સમગ્ર રાજયને આપતીગ્રસ્ત જાહેર કર્યુ છે. તો છેલ્લા બે દિવસથી દિલ્હી-ગુરુગ્રામમા યમુનાનાં વધેલા જળસ્તરથી ભારે તબાહી સર્જાઇ છે. યમુનાનુ જળસ્તર ઐતિહાસીક 208 મીટર લેવલે પહોંચી ગયુ છે. ગઇકાલે એક રાતમા જ 10 હજારથી વધુ લોકોનુ રેસ્કયુ કરાયુ હતુ. તો મરૂ સ્થલ રાજસ્થાનમા 13 જીલ્લાઓમા ભારે વરસાદને લીધે એલર્ટ જાહેર કરાયુ છે તેમજ દૌસા જીલ્લાનાં લાલશોટ વિસ્તારમા આવેલ નલાવાસ ડેમ તુટવાથી જયપુર આજુબાજુનાં ઘણા ગામો પાણીમા ડુબી ગયા હતા.

ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, મંગળવારે રાત્રે યમુના નદીનું પાણીનું સ્તર ખતરનાક રીતે તેના ઓલ ટાઈમ હાઈની નજીક પહોંચી ગયું હતું. એવું કહેવાય છે કે દિલ્હીમાં યમુનાનું પાણીનું સ્તર 208.36 મીટર પર પહોંચી ગયું છે, જે 13 જુલાઈ, 2023 ના રોજ નોંધાયેલા ઐતિહાસિક ઓલ ટાઈમ હાઈ 208.66 મીટરથી માત્ર 0.30 મીટર નીચે છે. પીટીઆઈ અનુસાર, હરિયાણાથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતા દિલ્હીના અધિકારીઓ હાઈ એલર્ટ પર છે.

Advertisement

હરિયાણામાં, ઝજ્જર, હિસાર, યમુનાનગર, કુરુક્ષેત્ર, પંચકુલા અને અન્ય જિલ્લાઓમાં 200 થી વધુ શાળાઓ બંધ છે. અમૃતસર, પઠાણકોટ, ફિરોઝપુર, ભટિંડા સહિત પંજાબના 23 જિલ્લાઓમાં હજુ પણ પૂરની સ્થિતિ પ્રવર્તી રહી છે. 1400 ગામોના 3 લાખથી વધુ લોકો પ્રભાવિત છે. અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં 30 લોકોના મોત થયા છે.

રાજસ્થાનના લાલસોટનો નલાવાસ ડેમ તૂટ્યા બાદ પરિસ્થિતિ સૌથી ગંભીર બની હતી. ડેમનું પાણી ઝડપથી ગામડાઓમાં ઘૂસી ગયું હતું, જેના કારણે ખેતરો અને કોઠાર ડૂબી ગયા હતા. ઘણા ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા અને વહીવટીતંત્રે લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે બચાવ કામગીરી શરૂૂ કરી હતી. અસરગ્રસ્ત ગામોમાં પરિસ્થિતિ વધુ વણસી રહી છે તે જોઈને પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રે એલર્ટ જારી કર્યું છે.
છેલ્લા 24 કલાકમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ નોંધાયો છે. દૌસા જિલ્લાના નાંગલ રાજાવતનમાં 53 મીમી, રામગઢ પછવારામાં 50, રાહુવાસમાં 31 અને લવનમાં 30 મીમી વરસાદ નોંધાયો છે. ભરતપુરના સિકરી અને નાદબાઈમાં 29-29 મીમી, નાગૌરના નવાનમાં 35, જયપુરના તુંગામાં 34, કરૌલીના સપોત્રામાં 30, અલવરના તિજારામાં 25, ગોવિંદગઢમાં 32 અને બેહરોરમાં 29 મીમી વરસાદ નોંધાયો છે.

બારન જિલ્લાના શાહબાદમાં 33 મીમી, સવાઈ માધોપુરના ગંગાપુર શહેરમાં 34 અને તલવારામાં 30 મીમી વરસાદ નોંધાયો છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે રાજ્યના પૂર્વ અને દક્ષિણ ભાગોમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement