For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સૂર્યાસ્ત પછી પણ મહિલાની ધરપકડ થઇ શકે: હાઇકોર્ટ

11:23 AM Feb 10, 2025 IST | Bhumika
સૂર્યાસ્ત પછી પણ મહિલાની ધરપકડ થઇ શકે  હાઇકોર્ટ

મદ્રાસ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા મહિલાઓની ધરપકડ પર કાનૂની નિયંત્રણો કડક રીતે ફરજિયાત નથી, પરંતુ કાયદાનું પાલન કરતી એજન્સીઓ માટે તે માત્ર દિશાનિર્દેશ છે. જસ્ટિસ જી.આર. સ્વામીનાથન અને જસ્ટિસ એમ. જોતિરામનની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે આ જોગવાઈઓ કાયદા અમલીકરણ એજન્સીઓ માટે સાવચેતીનાં પગલાં છે, પરંતુ જો તેનું ઉલ્લંઘન થાય તો તે આપોઆપ ધરપકડને ગેરકાયદેસર ઠેરવતી નથી. તેમ છતાં, આવા કિસ્સામાં અધિકારીઓએ નિયમોનું પાલન ન કરવા માટે યોગ્ય કારણો રજૂ કરવાના રહેશે.

Advertisement

કોર્ટે નોંધ્યું હતું કે કાયદો સામાન્ય સંજોગોમાં રાત્રે મહિલાઓની ધરપકડ પર પ્રતિબંધ મૂકે છે. અપવાદરૂૂપ કિસ્સાઓમાં, ન્યાયિક મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી લેવી આવશ્યક છે. જો કે, કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે કાયદામાં અસાધારણ સંજોગો શબ્દને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો નથી.

સલમા વિરુદ્ધ રાજ્ય કેસનો સંદર્ભ આપતા, કોર્ટે જણાવ્યું કે અગાઉ એક સિંગલ જજે મહિલાઓની ધરપકડ સંબંધિત માર્ગદર્શિકા નક્કી કરી હતી, પરંતુ ડિવિઝન બેન્ચે આ માર્ગદર્શિકાને અધૂરી ગણાવી હતી અને પોલીસ અધિકારીઓ માટે વધુ સ્પષ્ટતાની જરૂૂરિયાત પર ભાર મૂક્યો હતો.

Advertisement

કોર્ટે પોલીસ વિભાગને સ્પષ્ટ માર્ગદર્શિકા તૈયાર કરવાનો આદેશ આપ્યો છે કે કયા સંજોગોમાં મહિલાઓની રાત્રે ધરપકડ કરી શકાય છે. વધુમાં, કોર્ટે રાજ્ય વિધાનસભાને ભારતીય કાયદા પંચના 154મા અહેવાલમાં સૂચવ્યા મુજબ ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) ની કલમ 43 માં સુધારો કરવાની ભલામણ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement