For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ત્રણ વર્ષથી કેમ ઊંઘી રહ્યા હતા: આવકવેરા મામલે કોંગ્રેસને ઝટકો

11:35 AM Mar 13, 2024 IST | Bhumika
ત્રણ વર્ષથી કેમ ઊંઘી રહ્યા હતા  આવકવેરા મામલે કોંગ્રેસને ઝટકો
  • ટ્રિબ્યુનલના આદેશમાં કોઈ ખામી નહીં હોવાનું દિલ્હી હાઈકોર્ટનું અવલોકન

આવકવેરાના મામલામાં કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસને ફટકાર લગાવી છે અને પૂછ્યું છે કે શું તે ત્રણ વર્ષથી સૂઈ રહી છે. કોર્ટે પણ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. ઈન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ દ્વારા તેની અરજી ફગાવી દેવાને લઈને કોંગ્રેસે કોર્ટનો સંપર્ક કર્યો હતો. ટ્રિબ્યુનલે કોંગ્રેસને રૂૂ. 105 કરોડથી વધુના બાકી ટેક્સની વસૂલાત અંગે નોટિસ પાઠવી છે.
જસ્ટિસ યશવંત વર્મા અને પુરૂૂષેન્દ્ર કુમાર કૌરવે ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલના આદેશમાં કોઈ ખામી ન હોવાનું કહીને નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. કોર્ટે નોંધ્યું કે કોંગ્રેસ વિરુદ્ધ આ કાર્યવાહી વર્ષ 2021માં શરૂૂ કરવામાં આવી હતી. કોર્ટે આ અંગે કડક વલણ અપનાવ્યું હતું અને પૂછ્યું હતું કે શું તે હજી સૂઈ રહ્યા છે.

Advertisement

બેન્ચે એમ પણ કહ્યું કે આ કેસને ખૂબ જ ખોટી રીતે હેન્ડલ કરવામાં આવ્યો છે.બેન્ચે ચુકાદો સંભળાવતા કહ્યું કે અરજદારે પોતાને દોષી ઠેરવવો જોઈએ. આ મામલો 2021નો છે અને લાગે છે કે તમે આ માટે કોઈ પ્રયાસો કર્યા નથી. એવું લાગે છે કે 2021 થી અરજદારની ઓફિસમાં કોઈ સૂઈ રહ્યું હતું. આ દરમિયાન, બેન્ચે સંકેત આપ્યો કે આ કેસમાં નિર્ણય 13 માર્ચ, બુધવારે આવી શકે છે. કોંગ્રેસ તરફથી કોર્ટમાં હાજર રહેલા વરિષ્ઠ વકીલ વિવેક ટંખાએ કહ્યું કે, પાર્ટીના ખાતાઓ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. જો આમ જ ચાલશે તો પાર્ટીનું પતન થશે.

એડવોકેટે કહ્યું કે થોડા દિવસોમાં 2024ની લોકસભા ચૂંટણીની જાહેરાત થવા જઈ રહી છે. જો રાષ્ટ્રીય પક્ષ પોતાના પૈસાનો ઉપયોગ ન કરી શકે તો ચૂંટણી કેવી રીતે લડશે? તે જ સમયે, આવકવેરા વિભાગ તરફથી વકીલ ઝોહેબ હુસૈને દલીલ કરી હતી કે તે કહેવું ખોટું હશે કે કાર્યવાહી ચૂંટણી પહેલા શરૂૂ થઈ હતી. તેમણે કહ્યું કે અમે બતાવ્યું કે કાર્યવાહી 2021 થી ચાલી રહી છે. આ એક નિયમિત પુન:પ્રાપ્તિ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement