VIDEO: પીએમ મોદીએ ટ્રમ્પના આમંત્રણને કેમ ઠુકરાવ્યુ? ઓડિશાની જનતા વચ્ચે પોતે જ કર્યો ખુલાસો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓડિશાની રાજધાની ભુવનેશ્વર પહોંચ્યા છે. જ્યાં તેમણે ઓડિશા સરકારના એક વર્ષ પૂર્ણ થવાના ઉજવણી માટે આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન, પીએમએ એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે એક મોટી વાત કહી. પીએમએ કહ્યું કે મેં મહાપ્રભુ જગન્નાથની ભૂમિ પર આવવા માટે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણને ઠુકરાવી દીધું.
પીએમ મોદીએ કહ્યું કે બે દિવસ પહેલા જ હું G7 સમિટ માટે કેનેડામાં હતો. તે દરમિયાન, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મને ફોન કરીને ખૂબ આગ્રહથી આમંત્રણ આપ્યું. મેં અમેરિકાના રાષ્ટ્રપતિને કહ્યું, આમંત્રણ બદલ આભાર, પરંતુ મારા માટે મહાપ્રભુની ભૂમિ પર જવું મહત્વપૂર્ણ છે. તેથી મેં નમ્રતાપૂર્વક તેમના આમંત્રણનો ઇનકાર કર્યો. તમારા પ્રેમે મને મહાપ્રભુની ભૂમિ તરફ ખેંચ્યો છે.
https://x.com/ANI/status/1936038369051787560
વડાપ્રધાનએ કહ્યું કે લાંબા સમયથી ઓડિશાના લાખો ગરીબ પરિવારો આયુષ્માન યોજનાથી બહાર હતા. આજે, કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત જન આરોગ્ય યોજના અને રાજ્ય સરકારની ગોપબંધુ જન આરોગ્ય યોજના બંને અહીં ચાલી રહી છે. જેના કારણે અહીંના લગભગ 3 કરોડ લોકોને મફત સારવારનો લાભ મળવાની ખાતરી છે. 2014 પહેલા, દેશના 125 થી વધુ આદિવાસી જિલ્લાઓ નક્સલવાદી હિંસાની ઝપેટમાં હતા. પાછલા વર્ષોમાં, અમે આદિવાસી સમાજને હિંસામાંથી બહાર કાઢવા અને વિકાસના નવા માર્ગ પર લઈ જવાનું કામ કર્યું છે.
પીએમે કહ્યું કે ઓડિશામાં ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી સમાજ રહે છે, પરંતુ કમનસીબે ભૂતકાળમાં તેમની અવગણના કરવામાં આવી હતી. લાંબા સમય સુધી દેશ પર શાસન કરનારી પાર્ટીએ આદિવાસીઓનો ઉપયોગ તેના રાજકારણ માટે કર્યો. આ લોકોએ આદિવાસી સમાજને વિકાસ કે ભાગીદારી આપી નહીં. આ લોકોએ દેશના મોટા ભાગને નક્સલવાદ, હિંસા અને અત્યાચારની આગમાં ધકેલી દીધો.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ભાજપ સરકારે હિંસામાં સામેલ લોકો સામે નક્કર અને નિર્ણાયક કાર્યવાહી કરી છે અને આદિવાસી વિસ્તારોના વિકાસને પ્રાથમિકતા આપી છે. પરિણામે, નક્સલી હિંસા હવે ફક્ત 20 જિલ્લાઓ સુધી મર્યાદિત છે. આ મુદ્દાને ઉકેલવા માટેના પ્રયાસોની વર્તમાન ગતિ સાથે, આદિવાસી સમુદાય નક્સલવાદના ચુંગાલમાંથી સંપૂર્ણપણે મુક્ત થવાના માર્ગ પર છે. દેશમાંથી નક્સલવાદનો નાશ કરવામાં આવશે અને આ મોદીની ગેરંટી છે.